Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ ઊડી ગઈ છે કૅટરિનાની નીંદર ?

કેમ ઊડી ગઈ છે કૅટરિનાની નીંદર ?

03 June, 2019 09:15 AM IST | મુંબઈ

કેમ ઊડી ગઈ છે કૅટરિનાની નીંદર ?

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


કૅટરિના કૈફે હાલમાં જ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ‘ભારત’ને લોકો કેવો રિસ્પૉન્સ આપશે એ જાણવા માટે આતુર હોવાથી તેની રાતોની નીંદર ઊડી ગઈ છે. સલમાન ખાન સાથેની તેની ‘ભારત’ પાંચ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જૅકી શ્રોફ, તબુ અને દિશા પટણી જોવા મળવાનાં છે. ફિલ્મ વિશે જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘હું રાતે ઊંઘતી નથી. હું ‘ભારત’ને લઈને ખૂબ અેક્સાઇટેડ છું કે દર્શકો આ ફિલ્મને કેવો પ્રતિસાદ આપશે. હું ખુશ છું જે રીતે ફિલ્મને બનાવવામાં આવી છે.’

ફિલ્મને લઈને બૉક્સ-ઑફિસ પર કેવી આશા રાખી છે એ સવાલનો જવાબ પૂછતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘એના વિશે કહેવું અઘરું છે. હું માનું છું કે લાંબા સમય સુધી દર્શકો તરફથી પ્રેમ અને સપોર્ટ મળે અને અમે તેમની અપેક્ષાઓ પર ખરાં ઊતરીએ એ ખૂબ અગત્યનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2019 09:15 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK