અસુર સૌથી પહેલાં રાઇટર્સ પ્રોજેક્ટ
અસુર
વરુણ સોબતીને આમ તો લૉન્ચ જૉન એબ્રાહમે તેની ફિલ્મ ‘સતરાહ કો શાદી હૈ’ ફિલ્મમાં લૉન્ચ કર્યો હતો, પણ ફિલ્મ રિલીઝ ન થઈ એટલે વરુણના નસીબમાં સંઘર્ષ આવ્યો અને તેણે એ કર્યો પણ ખરો. અનેક વેબ-સિરીઝ અને ફિલ્મો પછી હમણાં વરુણની વૂટ સિલેક્ટ પર ‘અસુર’ રિલીઝ થઈ, જેમાં વરુણની ઍક્ટિંગનાં ભારોભાર વખાણ થાય, પણ વરુણ એવું માને છે કે આનો બધો જશ જો કોઈને જવો જોઈએ તો એ રાઇટર્સને જવો જોઈએ. ‘અસુર’ નિરેન ભટ્ટ, અભિજિત ખુમાણ અને ગૌરવ શુક્લાએ લખી છે. વરુણે કહ્યું હતું, કે રાઇટરનો કૉન્ફિડન્સ ઍક્ટરના ચહેરા પર દેખાતો હોય છે. જો રાઇટર કૉન્ફિડન્ટ ન હોય તો ઍક્ટર ક્યારેય કૉન્ફિડન્ટ ન થઈ શકે. ‘અસુર’ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. હું કહીશ કે એ પ્યૉરલી રાઇટર સબ્જેક્ટ છે.’
‘અસુર’ની સેકન્ડ સીઝન પર કામ શરૂ થઈ ગયું છે. વરુણ પણ એની આતુરતાથી રાહ જુએ છે. ‘અસુર’ની સેકન્ડ સીઝનમાં જાદુટોના અને મંત્રતંત્રની નવી ઊંચાઈઓ દેખાડવામાં આવશે એવું વરુણનું કહેવું છે.