ખરાબ હોય કે સારું રિતેશ પાસે મારું હાર્ટ હંમેશાં રહેવાનું છે : જેનિલિયા
રિતેશ દેશમુખ પત્ની જેનિલિયા સાથે
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) જેનિલિયા દેશમુખે તેનાં હઝબન્ડ રિતેશ દેશમુખ માટે કહ્યું છે કે ખરાબ હોય કે સારુ હોય તેનું દિલ હંમેશાં રિતેશ પાસે જ રહેવાનું છે. રિતેશની ‘મરજાવાં’ બાવીસમી નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રિત સિંહ અને તારા સૂતરિયા જોવા મળશે. આ ફિલ્મને મિલાપ ઝવેરીએ ડિરેક્ટ કરી છે. ‘મરજાવાં’નું ટ્રેલર ટ્વિટર પર શૅર કરીને રિતેશે ટ્વીટ કર્યું હતું કે ‘તુ નાયક તો મૈં ખલનાયક, તુ શાણાં તો મૈં દેઢ શાણાં.’
રિતેશનાં આ ટ્વીટ પર રિપ્લાઇ આપતાં જેનિલિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘ખરાબ હોય કે સારુ હોય મારુ દિલ હંમેશાં તારા પાસે જ રહેવાનું છે. હાય મૈં મરજાવાં.’