રેની અંદરનો રાવણ જાગશે ખરો?
રેની અંદરનો રાવણ જાગશે ખરો?
સબ ટીવીના શો ‘બાલવીર રિટર્ન્સ’માં આ નવરાત્રિનું સેલિબ્રેશન જરા જુદી રીતે ચાલી રહ્યું છે. બાલવીરના દુશ્મન એવા રેએ એક માસ્ટર-પ્લાન બનાવ્યો છે અને નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન ૯ બાળકોના આત્માનો ભોગ લઈને તે પોતાની અંદરનો રાવણ જગાડીને દુનિયા પર કબજો કરવા માગે છે અને તેની સામે બાલવીર અને તેના સાથી વિવાને રેને અટકાવવાનો છે. રે પોતાના રસ્તે એકધારો આગળ વધે છે અને દશેરાની રાતે તે જગતભર પર કબજો કરીને અસુરી તાકાતનો પરચો દેખાડવાનો ઇરાદો ધરાવે છે. આવા સમયે કેવી રીતે રેને રોકવો અને કેવી રીતે રેની અંદરનો રાવણ જાગે નહીં એ દિશામાં કામ કરવું એ બાલવીર અને વિવાન માટે યક્ષપ્રશ્ન બની ગયો છે. રે બનતા શોએબ અલીએ કહ્યું કે ‘વિજયા દશમીનો અર્થ જ છે અસુર પર સુરનો વિજય, સુરનો વિજય થશે એ નક્કી છે, પણ એ થાય ત્યાં સુધીમાં અસુરી તાકાત કેવી ફેલાઈ છે એ આખી જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે બની છે.’
‘બાલવીર રિટર્ન્સ’ની આ જે યાત્રા છે એમાં બાલવીર ભારતનગર અકબંધ રહે અને તેમના તહેવારોની ઉજવણી પણ ચાલુ રહે એ માટે સતત લડવૈયો બનીને રે સામે ઊભો રહેશે.