બાલવીર રિટર્ન્સની તિમ્નાસા પવિત્રા પુનિયાને થયો ડેન્ગી
પવિત્રા પુનિયા
સબ ટીવીનો ચિલ્ડ્રન-ફૅન્ટસી શો ‘બાલવીર રિટર્ન્સ’ હાલ મજેદાર ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ સાથે આગળ વધી રહ્યો છે. બાલવીર, વિવાન, તિમ્નાસા અને ભૈમરની કેમિસ્ટ્રી લોકોને આકર્ષી રહી છે. તિમ્નાસાનું નેગેટિવ પાત્ર ભજવી રહેલી અભિનેત્રી પવિત્રા પુનિયાને લઈને વધુ નેગેટિવ સમાચાર એ આવ્યા છે કે તેને હાલ હૉસ્પિટલાઇઝ કરાઈ છે કેમ કે તે ડેન્ગીની અસર હેઠળ છે.
આ પણ વાંચો : બેહદ ખૂબસુરત છે 'બિગ બૉસ 13'ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Himanshi Khurana
ADVERTISEMENT
નકારાત્મક પાત્રો માટે જાણીતી અભિનેત્રી પવિત્રા પુનિયાએ ચાર દિવસ પહેલાં તબિયત નાદુરસ્ત લાગતાં રિપોર્ટ કરાવ્યો હતો અને એમાં ડેન્ગી હોવાનું આવ્યું હતું. હાલ તે તેની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ છે. સિરિયલ સાથે જોડાયેલાં સૂત્રોના કહેવા મુજબ પવિત્રા બરાબર ન થઈ જાય ત્યાં સુધી ‘બાલવીર રિટર્ન્સ’ની વાર્તા અને દૃશ્યોના નરેશનમાં ફેરફાર કરવામાં આવશે.