રણવીર સિંહ અને રણબીર કપૂર મારી પ્રેરણા છે : આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાએ જણાવ્યું છે કે તેનાં માટે રણવીર સિંહ અને રણબીર કપૂર પ્રેરણાં સમાન છે. તેની હાલમાં રિલીઝ થયેલી ‘બાલા’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. તેને પૂછવામાં આવ્યુ હતું કે ઇન્ડસ્ટ્રીમાં તે કોને પ્રેરણાં માને છે. એનો જવાબ આપતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મને આધુનિક કલાકારોનાં નામ લેવા ગમશે. સામાન્ય રીતે લોકો એમ નથી કરતાં. હું રણવીર સિંહને મારી પ્રેરણાં માનું છું. તેની વિવિધતાથી ભરેલી ફિલ્મોગ્રાફી અવર્ણનીય છે. તેની ઍનર્જી પણ અદ્ભુત છે. તે મારા માટે ખૂબ જ પ્રેરણાંદાયી છે. સાથે જ રણબીર કપૂર પણ મને પ્રેરણાં આપે છે. રણવીર અને રણબીર બન્ને ભરપૂર ટૅલન્ટેડ છે. તેઓ મને પ્રેરિત કરે છે.