વાઇફ અને બાળકો સાથે લાંબા વેકેશન પર જશે આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના તેનાં વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને નવેમ્બરમાં વાઇફ તાહિરા કશ્યપ ખુરાના અને બાળકો સાથે લાંબા વેકેશન પર જવાનો છે. આયુષ્માન હાલમાં બાવીસ નવેમ્બરે રિલીઝ થનારી ‘બાલા’ અને ૨૦૨૦ની માર્ચમાં રિલીઝ થનારી ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં વ્યસ્ત છે. ફૅમિલી સાથે સમય વિતાવવાનું નક્કી કરનાર આયુષ્માને કહ્યું હતું કે ‘હું એ નથી જાણતો કે બ્રેક કેટલી લાંબી ચાલશે. બે-ત્રણ મહિના અથવા તો એનાથી પણ વધુ સમય લાગી શકે છે. ગયા વર્ષે અને આ વર્ષે હું એક પછી એક એમ ચાર ફિલ્મોનાં શૂટિંગમાં બિઝી હતો. એથી એક વર્ષ મારા માટે ખૂબ અઘરૂ હતું. જોકે હવે હું એ વાતની કાળજી રાખીશ અને બૅલેન્સ કરવાનો પ્રયાસ કરીશ. હું નવેમ્બરની મધ્યમાં સમય કાઢીને ફૅમિલી સાથે રહીશ. હું જ્યારે ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’નું કામ પૂરુ કરીશ એની તુરંત બાદ હું ‘બાલા’નાં પ્રમોશનમાં બિઝી થઈ જઈશ. ‘બાલા’ બાદ મેં કોઈ ફિલ્મ સાઇન નથી કરી. ૧૫ નવેમ્બર બાદ હું પૂરી રીતે મારી ફૅમિલીને સમય આપીશ. હું જાણું છું કે મારા બાળકો મોટા થઈ રહ્યાં છે અને મારી વાઇફને પણ સમય આપવાની જરૂર છે.
આ પણ વાંચો : ક્વાથાનું શૂટિંગ ઑક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે : આયુષ શર્મા
ADVERTISEMENT
હું જાણી જોઈને કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. જોકે હું જ્યારે ઘરે હોઈશ ત્યારે હું સ્ક્રિપ્ટ વાંચીશ. વેકેશન દરમ્યાન જો કામ હાથમાંથી ચાલ્યુ જશે તો પણ કંઈ વાંધો નથી. કામમાંથી બ્રેક લેવાની જરૂર હોય છે. એનાથી તમે તરોતાજા થઈ જાવ છો.’