દંગલ ચૅનલના નવા શો ‘રંજુ કી બેટિયાં’ના લીડ ઍક્ટર અયુબ ખાનને જો તમે સેટ પર જુઓ તો ચોક્કસ હેબતાઈ જાઓ, કારણ કે અયુબ ખાન સેટ પર ભાગ્યે જ કોઈ સાથે વાત કરે છે અને એમાં પણ શોમાં તેની જે ત્રણ દીકરીઓ છે તેની સાથે તો એક શબ્દ પણ બોલતો નથી. આનું ખાસ કારણ છે. અયુબ ખાન કહે છે, ‘શોમાં મારું કૅરૅક્ટર એવું છે જેને દીકરીઓ સાથે નથી બનતું. જો હું નૉર્મલ થઈને બધા સાથે રહેતો હોઉં તો કોઈ હિસાબે મારા રુઆબની અસર કૅરૅક્ટરમાં આવે નહીં. એવું ન થવા દેવું હોય તો મારે ચોક્કસ અંતર જાળવવું પડે. એ જાળવવા માટે જ મેં નક્કી કર્યું છે કે હું કોઈ સાથે વાત નહીં કરું અને જરૂર પડશે તો માત્ર જરૂર પૂરતી વાત કરીશ.’
‘રંજુ કી બેટિયાં’માં દીકરીઓને પગભર કરવા અને તેમનાં સપનાં પૂરાં કરવા માટે તેની મા સહકાર આપે છે. આ સપોર્ટ આપવાની આખી જે જર્ની છે એ બાપ બનતા અયુબ ખાનને પસંદ નથી એટલે દીકરીઓથી તે એક ચોક્કસ અંતર રાખે છે. આ અંતર જેન્યુઇનલી દેખાતું રહે એ માટે અયુબ ખાન ફ્લોર પર પણ કોઈ સાથે વાત કરતો નથી.
હવે હસવા થઈ જાઓ તૈયાર, 'તારક મહેતા' શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન
27th February, 2021 11:34 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 ISTદર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી
26th February, 2021 16:39 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 IST