Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોતીચૂર ચકનાચૂરમાં સુનીલે દખલ કરી હોય એ અફવાનું ખંડન કર્યું અથિયાએ

મોતીચૂર ચકનાચૂરમાં સુનીલે દખલ કરી હોય એ અફવાનું ખંડન કર્યું અથિયાએ

28 October, 2019 10:48 AM IST | મુંબઈ
સોનિલ દેઢિયા

મોતીચૂર ચકનાચૂરમાં સુનીલે દખલ કરી હોય એ અફવાનું ખંડન કર્યું અથિયાએ

અથિયા શેટ્ટી

અથિયા શેટ્ટી


અથિયા શેટ્ટીએ એ વાતને રદિયો આપ્યો છે કે ‘મોતીચૂર ચકનાચૂર’માં તેના ડૅડી સુનીલ શેટ્ટીએ દરમ્યાનગીરી કરી હોય. સાથે જ તેણે એમ પણ જણાવ્યું કે તેના ડૅડીએ તો આ ફિલ્મ પણ નથી જોઈ. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘મોતીચૂર ચકનાચૂર’ ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટીની દખલઅંદાજીને અફવા જણાવતાં અથિયા શેટ્ટીએ કહ્યું હતું કે ‘મને એ ખબર નથી કે આ બધી અફવા ક્યાંથી શરૂ થાય છે. આ બધું ખોટું છે. તેમણે તો આ ફિલ્મ પણ નથી જોઈ. તેમણે આ મુદ્દે ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું છે, કારણ કે આવું બધું તો કંઈ થયું જ નથી. હું તેમની સાથે મારા કામની ચર્ચા કરું છું, પરંતુ અંતિમ નિર્ણય તો હું જ લઉં છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 10:48 AM IST | મુંબઈ | સોનિલ દેઢિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK