ગુજરાતી નાટક પરથી ફિલ્મ બનાવશે આશુતોષ ગોવારીકર
એવામાં એક ડગલું આગળ વધીને તેણે પરેશ રાવલના ડબલ રોલવાળા ફેમસ ગુજરાતી નાટક ‘ડિયર ફાધર’ પરથી ફિલ્મ બનાવવા માટે એના રાઇટ્સ ખરીદી લીધા છે. વાસ્તવમાં ‘ડિયર ફાધર’ મરાઠી નાટક ‘કાટકોણ ત્રિકોણ’ પરથી બનાવવામાં આવી છે. મરાઠી અને ગુજરાતી બન્ને નાટકોને સારો પ્રતિસાદ મળતાં આશુતોષે એના પરથી પોતે ફિલ્મ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવાનો નિર્ણય લીધો છે. જોકે એમાં સારી વાત એ છે કે ગુજરાતી નાટકની જેમ આ ફિલ્મમાં પણ પરેશ રાવલ જોવા મળશે.