Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર હીરાણીને મેં એક પણ દિવસ ખોટું કામ કરતા નથી જોયા : અર્શદ

રાજકુમાર હીરાણીને મેં એક પણ દિવસ ખોટું કામ કરતા નથી જોયા : અર્શદ

16 January, 2019 09:33 AM IST |

રાજકુમાર હીરાણીને મેં એક પણ દિવસ ખોટું કામ કરતા નથી જોયા : અર્શદ

અર્શદ વારસી

અર્શદ વારસી


રાજકુમાર હીરાણીની ‘મુન્નાભાઈ’ સિરીઝમાં અર્શદ વારસીએ સર્કિટનું પાત્ર ભજવ્યું છે. રાજકુમાર હીરાણી પર લગાવવામાં આવેલા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપ વિશે પૂછતાં અર્શદ વારસીએ કહ્યું હતું કે ‘મારા માટે કોઈ પણ વસ્તુનો તરત નિર્ણય લઈ લેવો ખોટું છે. તેમ જ મને આ કેસ વિશે કોઈ માહિતી પણ નથી. મને નથી ખબર કે એમાં કેટલું સાચું છે. શું આ વિશે યોગ્ય ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે? અંગત રીતે મને આવી કોઈ પણ બાબતમાં તરત જ નિર્ણય લઈ લેવો પસંદ નથી. હું એવું નથી કરી શકતો અને એ યોગ્ય પણ નથી. હું રાજુ વિશે શું ફીલ કરું છું? તે એકદમ જેન્ટલમૅન છે. તેઓ એક અદ્ભુત વ્યક્તિ છે. હું તેમની સાથે ઘણા સમયથી કામ કરતો આવ્યો છું અને મેં તેમને એક પણ બાબત ખોટી કરતા નથી જોયા. મેં તેમને કોઈની પણ સાથે ખરાબ વર્તન કરતા નથી જોયા. અચાનક આ બધું ક્યાંથી આવ્યું એમ તમે કહેશો તો હું એટલું જ કહીશ કે જ્યાં સુધી સો ટકા વાત બહાર ન આવે ત્યાં સુધી એમાં કંઈ નહીં કહી શકું.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2019 09:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK