એક હજાર લોકોને ઑન્ટ્રપ્રનર બનાવવા વિશે અર્જુન કપૂરે કહ્યું...
અર્જુન કપૂર
અર્જુનના ફૂડ વેન્ચર દ્વારા તેણે એક હજાર લોકોને ઑન્ટ્રપ્રનર બનવા માટે પ્રેરિત કર્યા છે. અર્જુને થોડા સમય પહેલાં જ ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ફૂડક્લાઉડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ લૉકડાઉન દરમ્યાન તેમણે તેમનાથી શક્ય હોય એટલી લોકોને મદદ કરી તેમનો બિઝનેસ ઉપર લાવવામાં મદદ કરી હતી. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસને કારણે લોકો પર વિવિધ મુશ્કેલીઓ અને ચૅલેન્જ આવી હતી. લોકોનાં મૃત્યુ થયાં એ સાંભળીને પણ ખૂબ જ દુઃખ થાય છે. લોકોની રોજગારી પણ ગઈ. જોકે મારાથી શક્ય હોય એટલી અમે લોકોને સશક્ત બનાવવાની કોશિશ કરી છે.’
તેના આ વેન્ચર દ્વારા તેણે એક હજાર લોકો જેઓ ઘરમાં રસોઈ બનાવતા તેમને ઑન્ટ્રપ્રનર બનાવ્યા છે. આ વિશે વાત કરતાં અર્જુને કહ્યું હતું કે ‘અમે ઇન્ડિયામાં લગભગ એક હજાર નવા ફૂડ ઑન્ટ્રપ્રનર બનાવ્યા છે. અમારા માટે આ ખૂબ જ મોટિ સિદ્ધિ છે, કારણ કે આ લૉકડાઉનમાં લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. અમે હંમેશાં ઇચ્છતા હતા કે લોકો આત્મનિર્ભર બનીને તેમનાં સપનાંઓને પૂરાં કરે. અમે પહેલેથી જ વોકલ ફૉર લોકલ કંપની બન્યા હતા.’