Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પિરિયડ-ડ્રામા કરવાની મારી પહેલેથી ઇચ્છા હતી: અર્જુન

પિરિયડ-ડ્રામા કરવાની મારી પહેલેથી ઇચ્છા હતી: અર્જુન

15 June, 2019 09:48 AM IST |

પિરિયડ-ડ્રામા કરવાની મારી પહેલેથી ઇચ્છા હતી: અર્જુન

અર્જુન કપૂર

અર્જુન કપૂર


‘પાનીપત’માં એક મરાઠા સૈનિકની ભૂમિકામાં જોવા મળનાર અર્જુન કપૂરનું કહેવું છે કે હંમેશાંથી તેની ઇચ્છા પિરિયડ-ડ્રામા કરવાની હતી. આશુતોષ ગોવારીકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવતી આ ફિલ્મમાં સંજય દત્ત અને ક્રિતી સૅનન પણ જોવા મળશે. પોતાના પાત્ર વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘મારા માટે એક મરાઠા લડવૈયાનું પાત્ર ભજવવું એક પડકાર છે. તે એ વ્યક્તિ નથી જેની મેં કલ્પના કરી હતી. જોકે આશુતોષ ગોવારીકરે તેના માટે ધારણા બાંધી રાખી છે. તેમના દૃષ્ટિકોણને સાકાર કરવાને લઈને હું થનગની રહ્યો છું. મેં ‘પાનીપત’ નથી પસંદ કરી, પરંતુ એણે મને પસંદ કરી છે. આવી ફિલ્મ કરવાની મારી પહેલેથી જ ઇચ્છા હતી અને ક્યારેક તમે એ વિચારતા હો અને એ બાબત બની જાય છે.

આ પણ વાંચો : રાજકુમાર રાવ અને જાહ્‍નવીની હૉરર-કૉમેડી રૂહી-અફઝાના શૂ‌ટિંગની થઈ શરૂઆત



હું પોતે જ્યારે એના માટે તૈયાર હોઉં તો એ સમયની સાથે થઈ પણ જાય છે. જો મને કોઈ પિરિયડ-ડ્રામા અથવા તો પિરિયડ-વૉર ફિલ્મ કરવી હોય તો આશુતોષ ગોવારીકર સિવાય બીજું કોઈ ન હોઈ શકે. તેઓ એ વારસાને, લાગણીને અને સ્ટોરીને પૂરતો ન્યાય આપી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2019 09:48 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK