મુક્તપણે ફરવાનું મિસ કરી રહ્યો છે અર્જુન કપૂર
અર્જુન કપૂર
અર્જુન કપૂરને જૂના દિવસોની યાદ સતાવી રહી છે કે જ્યારે બેરોકટોક ફરી શકાતું હતું. હાલમાં કોરોનાના કેર વચ્ચે લાગેલા લૉકડાઉનને કારણે સૌની લાઇફ પર બ્રેક લાગી ગઈ છે. સૌકોઈ પહેલાં જેવી નૉર્મલ લાઇફ મિસ કરી રહ્યા છે. આવું જ કંઈક અર્જુનનું પણ છે. પોતાનો મોનોક્રોમ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી, ‘એક સમય હતો જ્યારે આપણે આઝાદીથી ફરી શકતા હતા.’