અર્જુન કપૂરને ટ્રોલ કરનારની આવી શામત
અર્જુન કપૂર
અર્જુન કપૂરને ટ્વિટર પર ટ્રોલ કરવા જતાં એક યુઝરની તેણે ઝાટકણી કાઢી છે. ટ્વિટર યુઝર @kusumbhutaniએ અર્જુન પર પ્રહાર કર્યો હતો. કુસુમે ટ્વીટ કર્યું હતું કે ‘તું તારા પપ્પાની બીજી પત્ની શ્રીદેવીને નફરત કરતો હતો, કારણ કે તેમણે તારી મમ્મીને છોડી દીધી હતી. તું હવે તારાથી અગિયાર વર્ષ મોટી મહિલાને ડેટ કરી રહ્યો છે જેને ટીનેજ દીકરો પણ છે. અર્જુન કપૂર આવું ડબલ સ્ટાન્ડર્ડ કેમ?’
અર્જુને ક્યારેય તેની લાઇફ વિશે કંઈ છુપાવ્યું નથી. તેણે મલાઇકા વિશે પણ જાહેરમાં એકરાર કરી દીધો હતો. તેણે કુસુમનું ટ્વીટ જોયું ત્યારે તેને ઘણો આઘાત લાગ્યો હતો. આ ટ્વીટનો જવાબ આપતાં અર્જુને ટ્વીટ કર્યું હતું કે ‘હું કોઈને પણ નફરત નથી કરતો કુસુમ. અમે ખૂબ જ સ્વાભિમાનથી એક અંતર જાળવીને રાખ્યું હતું. જો હું કોઈને પણ નફરત કરતો હોત તો સેન્સિટિવ સમયે હું મારા પિતા, જાહ્નવી અને ખુશીની પડખે ન ઊભો રહ્યો હોત. ટાઇપ કરવું અને લોકોને જજ કરવું સહેલું છે, પરંતુ થોડું વિચારી પણ લે. તું વરુણ ધવનની ફૅન છે એટલે તને કહું છું કે તારા ડિસ્પ્લે પિક્ચર પર તેનો ફોટો શૅર કરીને નેગેટિવિટી ન ફેલાવ.’
ADVERTISEMENT
આ પણ વાંચો : ચાહકો હજી પણ ઇચ્છે છે કે દેબિના ગૉડેસનું પાત્ર ભજવે
કુસુમે ત્યાર બાદ તેનું ટ્વીટ ડિલીટ કર્યું હતું અને માફી પણ માગી હતી. તેની માફીના મેસેજનો જવાબ આપતાં વરુણે ટ્વીટ કર્યું હતું કે ‘મને ખુશી છે કે તેં માફી માગી અને અર્જુન તારાથી નારાજ નથી. અમને અમારી લાઇફ જીવવા દો અને અર્જુન કપૂરનું દિલ ખૂબ જ મોટું છે. હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે મારા કોઈ પણ ફૅન્સ અન્ય ઍક્ટર્સ વિશે ખરાબ ન બોલો.’