‘તમે હજી કામ વગરના જ રહેશો ને?’ આ સામે અભિષેક બચ્ચને કહ્યું આ...
તસવીર સૌજન્યઃ અભિષેક બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
અનલોક 5.0ની ગાઈડલાઈન ગઈ કાલે જાહેર થઈ હતી. આ નવી ગાઈડલાઈન મુજબ સિનેમા હોલ્સ 50 ટકા ક્ષમતાએ શરૂ કરી શકાશે. આ સમાચારમાં અભિષેક બચ્ચને રિએક્શન આપતા ટ્વીટ કર્યું કે, આ અઠવાડિયાના આ સૌથી સારા સમાચાર છે.
The best news of the week!!!! ??? https://t.co/ysKoB5RMs0
— Abhishek Bachchan (@juniorbachchan) September 30, 2020
ADVERTISEMENT
અભિષેકની આ ટ્વીટ બાદ ઘણા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. એક યુઝરે તો કહ્યું કે, અનલોક 5 અંતર્ગત ભલે સિનેમા હોલ શરૂ કરવાની પરવાનગી મળી છે પરંતુ તમે હજી કામ વગરના જ રહેશો ને?.
અભિષેક બચ્ચને સા સામે ટ્વીટ કર્યું કે, આ તમારા (ઓડિયન્સ)ના હાથમાં છે. જો તમને અમારુ કામ ન ગમે તો અમને કામ નહીં મળે. આથી અમે અમારૂ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરીએ છીએ અને આગળ સારુ થાય એવી આશા અને પ્રાર્થના કરીએ છીએ.
That, alas, is in your (the audiences) hand. If you don’t like our work, we won’t get our next job. So we work to the best of our abilities and hope and pray for the best. ??
— Abhishek Bachchan (@juniorbachchan) September 30, 2020
અન્ય એક યુઝરે અભિષેક બચ્ચનને પૂછ્યું કે દ્રોના પછી પણ તેને ફિલ્મો કઈ રીતે મળતી હતી, જેની સામે અભિનેતાએ જવાબ આપ્યો કે, મને ફિલ્મ નહોતી મળતી. અમૂક ફિલ્મમાંથી મને ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. પણ હું આશા રાખુ છુ અને પ્રયત્ન કરીને મારા ધ્યેયને પ્રાપ્ત કરવાનો ઈરાદો રાખું છું. તમારે રોજ સવારે ઉઠીને સૂર્ય નીચે તમારા સ્થાન માટે લડત તો આપવી જ પડે. જીવનમાં કંઈ પણ સરળતાથી મળતુ નથી.
અભિષેક બચ્ચનના આ જવાબ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.