એ. આર. રહમાનની મમ્મીનું થયું મૃત્યુ
એ. આર. રહમાનની માતા કરીમા બેગમનું નિધન થયું છે. તેઓ વધતી ઉંમરને કારણે થતી બીમારીથી પીડાતાં હતાં. તેમના નિધનના સમાચાર મળતાં જ અનેક લોકોએ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. કરીમા બેગમનાં લગ્ન મલયાલમ કમ્પોઝર રાજાગોપાલા કુલશેખરન સાથે થયાં હતાં. તેમના પતિનું નિધન 1976માં થયું હતું. કરીમા બેગમના પરિવારમાં એ. આર. રહમાન, એ. આર. રિહાનાસ ઇશરત કાદરી અને ફાતિમા શેખર છે.