Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હા, અનુરાગ પ્રેરણાનું ખૂન કરી રહ્યો છે : એકતા કપૂર

હા, અનુરાગ પ્રેરણાનું ખૂન કરી રહ્યો છે : એકતા કપૂર

26 February, 2020 03:38 PM IST | Mumbai

હા, અનુરાગ પ્રેરણાનું ખૂન કરી રહ્યો છે : એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂર


એકતા કપૂરનું કહેવું છે કે તેની સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’માં પ્રેરણાનું ખૂન અનુરાગ બાસુ કરતો જોવા મળશે. આ શોમાં અનુરાગનું પાત્ર પાર્થ સામથાન અને પ્રેરણાનું પાત્ર એરિકા ફર્નાન્ડિસ ભજવી રહ્યાં છે. શોની સ્ટોરી લાઇન મુજબ અનુરાગ પ્રેરણાનું ખૂન કરી રહ્યો છે એવો પ્રોમો દેખાડવામાં આવ્યો છે. જોકે એ સત્ય છે. ટેરેસ પરથી અનુરાગ પ્રેરણાને ધક્કો મારી દેશે. આ સાથે જ શોમાં નવો ટ્વિસ્ટ લાવવા માટે નવી એન્ટ્રી થશે અને એ હશે મિસ્ટર બજાજની. આ માટે ફરી કરણ સિંહ ગ્રોવરને પસંદ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે.

‘કસૌટી ઝિંદગી કી’ વિશે પૂછતાં એકતા કપૂરે કહ્યું હતું કે ‘ટીવી ઇન્ડસ્ટ્રીમાં અનુરાગ અને પ્રેરણાને હંમેશાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યાં છે. ‘કસૌટી ઝિંદગી કી’માં દર્શકો હવે પ્રેમ અને છેતરામણીનું એક નવું રૂપ જોશે. સોશ્યલ મીડિયા પર આ વિશે ઘણાં અનુમાનો લગાવવામાં આવી રહ્યાં છે. મને ઘણા ફોન કૉલ પણ આવી રહ્યા છે કે શું અનુરાગ સાચે પ્રેરણાને મારશે? તો હા, એ સત્ય છે. તે ખૂન કરી રહ્યો છે. આ અંત બાદ સ્ટોરી એક નવો વળાંક લેશે જે દર્શકોને પસંદ પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 03:38 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK