સુશાંત ‘પ્રોબ્લેમેટિક’ હતો: અનુરાગ કશ્યપ
ફાઈલ તસવીર
ફિલ્મનિર્માતા અનુરાગ કશ્યપે કહ્યું કે તે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરવા નહોતો માગતો કારણ કે તેના પોતાના કારણો હતા. અનુરાગે સુશાંતની મેનેજર સાથેના વોટ્સએપ્પ ચેટ શૅર કરતા કરતા ટ્વીટરમાં સમજાવ્યું કે શા માટે તે કામ કરવા નહોતો માગતો.
અનુરાગે સ્ક્રિન શોટ પાડ્યો અને કહ્યું કે, સોરી હું આમ કરી રહ્યો છુ પણ આ સુશાંતના નિધનના ત્રણ અઠવાડિયા પહેલાના છે. હું તેની સાથે કામ કરવા નહોતો માગતો જેના મારા અંગત કારણો હતા.
ADVERTISEMENT
I am sorry that I am doing this but this chat is from three weeks before he passed away. Chat with his manager on 22 May .. havent don’t it so far but feel the need now .. yes I didn’t want to work with him for my own reasons .. https://t.co/g4fLmI5g9h pic.twitter.com/cHSqRhW9BD
— Anurag Kashyap (@anuragkashyap72) September 9, 2020
આ ચેટ 22 મેના હતા, જેમાં સુશાંતના મેનેજરે અનુરાગ કશ્યપને કહ્યું કે, મને ખબર છે કે તમને પિચિંગ એક્ટર્સ નથી ગમતા, પણ તમારે એક ચાન્સ લેવો જોઈએ. તમારા આગામી પ્રોજેક્ટમાં સુશાંત સિંહ રાજપૂતને ધ્યાનમાં રાખજો. એક ઓડિયન્સ તરીકે હું ચાહીશ કે તમે બે મળીને કંઈક ગ્રેટ કરો.
આ સામે અનુરાગ કશ્યપે રિપ્લાય આપ્યો કે, તે પ્રોબ્લેમેટિક મેન છે. હુ તેને પહેલાથી ઓળખુ છું.
આ પછી અનુરાગે 14 જૂનના ચેટ શૅર કર્યા હતા. જેમાં મેનેજરે કહ્યું કે, મે ક્યારે પણ તમારો ફીડબેક તેને આપ્યો નહોતો અને તેણે પણ ક્યારે પૂછ્યું નહીં કે શું થયું.
Also My conversation with his manager on June 14th . It will show you things if you want to see. It feels horrible to do this but can’t keep it back .. and for those as well who think we didn’t care for the family . As honest as I can be .. judge me all you want .. pic.twitter.com/AdfJzcdh9M
— Anurag Kashyap (@anuragkashyap72) September 9, 2020
આ સામે અનુરાગે જવાબ આપ્યો કે, મે રણવીર સિંહની બદલે સુશાંતની પસંદગી કરી કારણ કે મુકેશએ મને કહ્યું કે સુશાંતને મારી ફિલ્મ કરવી છે. જોકે હવે મે એ ફિલ્મ જ માંડી વાળી છે.
મેનેજરે રિપ્લાય આપ્યો કે, સુશાંતને તેના અને ગટ્ટુ (ડાયરેક્ટર અભિષેક કપૂર) માટે ખૂબ જ માન હતું.
કશ્યપે કહ્યું કે, અમે હંમેશા ઈમાનદાર હતા. તેથી જ હું અપસેટ છું. મને ખબર હતી કે તેમને (મુકેશ)ને કંઈક કરવુ હતું. તેથી હું બંનેથી અલગ રહ્યો હતો. હવે મને એવુ લાગે છે કે મારે એક વાર વાત કરવી જોઈતી હતી.
આ સામે મેનેજરે કહ્યું કે, લોકડાઉનના લીધે પરિસ્થિતિ બગડી હતી. મને ખબર છે કે સુશાંત તમારી પ્રામાણિકતાથી અવગત છે. તેની આત્માને શાંતિ મળે.
અનુરાગે સુશાંતના કુટુંબ બાબતે પણ પૂછ્યું હતું.