Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસના અનુભવ વિશેની બુક લૉન્ચ કરશે અનુપમ ખેર

કોરોના વાઇરસના અનુભવ વિશેની બુક લૉન્ચ કરશે અનુપમ ખેર

07 November, 2020 11:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોના વાઇરસના અનુભવ વિશેની બુક લૉન્ચ કરશે અનુપમ ખેર

અનુપમ ખેર

અનુપમ ખેર


અનુપમ ખેરે કોરોના વાઇરસના અનુભવ વિશેની બુક લખી છે જેને તે બહુ જલદી રિલીઝ કરશે. સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને તેમણે આ જાહેરાત કરી હતી. વિડિયો શૅર કરીને તેમણે ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી, ‘આ મહામારીએ આપણી લાઇફને હંમેશ માટે બદલી નાખી છે. એને કારણે આપણે પોતાની જાતને ઓળખવાની સાથે આપણો વિલ પાવર પણ વધુ મજબૂત બન્યો છે અને પૉઝિટિવ વિચારવાની શક્તિ પણ વધી છે. આ તમામ બાબત વિશે લૉકડાઉનમાં મેં એક બુક લખી છે. એ વિશે વધુ માહિતી જણાવીશ. જય હો.’

આ વિડિયોમાં અનુપમ ખેરે કહ્યું છે કે ‘આ મહામારી અને લૉકડાઉન દરમ્યાન હું મુંબઈથી ન્યુ યૉર્ક ગયો હતો. હું મુંબઈમાં આઠ મહિના રહ્યો છું. એ દરમ્યાન મેં ઘણા ઉતાર-ચડાવ, સ્ટ્રગલ્સ અને લોકોને એક થતા જોયા છે. મારી ફૅમિલી બીમાર પડી હતી. આપણે બધાએ ઘણી બાબતોનો એક્સ્પીરિયન્સ કર્યો છે. આપણે ક્યારેય નહોતું વિચાર્યું કે આપણે આ તમામમાંથી પસાર થઈશું. શરૂઆતમાં હું ડરી ગયો હતો. મારામાં ઇનસિક્યૉરિટી આવી ગઈ હતી. જોકે મેં પૉઝિટિવ બાજુ જોઈ તો ખબર પડી કે ફૅમિલી પહેલાં કરતાં વધુ નજીક આવ્યું છે.



લોકોને તેમની નવી હૉબી વિશે જાણ થઈ છે. આ વિશે મેં એક બુક લખી છે જે પબ્લિશ થવા માટે તૈયારી કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2020 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK