મારે એવાં પાત્રો ભજવવાંછે જે ફનની સાથે સરળ પણ હોય : અંકિતા લોખંડે
અંકિતા લોખંડે
તે હવે કેવી ફિલ્મ કરવા માગે છે એ વિશે પૂછતાં અંકિતાએ કહ્યું હતું કે ‘મારે હવે એવા રોલ કરવા છે જેમાં ખરેખર મજા આવે. હું પોતાની જાતને દેખાડી શકું અને પાત્ર માટે વધુ સિરિયસ બનવાની જરૂર ન હોય. ઝલકારીબાઈના જેવાં પાત્રો તો હંમેશાં મારી સાથે રહેશે, પરંતુ હવે મારે એવા રોલ પણ ભજવવા છે જે થોડા સરળ હોય.’
ફિલ્મની ઑફર્સ વિશે પૂછતાં અંકિતાએ કહ્યું હતું કે તેને હાલમાં ઘણી ઑફર્સ મળી રહી છે.