મેં ક્યારેય એમ નથી કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરાઈ છે: અંકિતા
અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂત (ડાબે), રિયા ચક્રવર્તી
14 જુનના આત્મહત્યા કરનાર બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને ત્રણ મહિના થવા આવ્યા છે. પરંતુ પરિવારજનો, ફૅન્સ અને મિત્રો આજે પણ અભિનેતાને ભુલી શકતા નથી. આ કેસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યા બાદ એનસીબીએ અભિનેતાની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની ધરપકડ કરી છે. સુશાંતના મૃત્યુ બાદથી શોકમાં રહેલી અને અભિનેતા માટે ન્યાયની લડાઈમાં તેના પરિવારનો સાથ શરૂઆતથી જ આપી રહેલી અભિનેતાની ભુતપુર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ તાજેતરમાં હેટર્સને સંબોધીને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે સપ્ષ્ટ કર્યું છે કે, મેં ક્યારેય એમ નથી કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરાઈ છે.
અંકિતા લોખંડે સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ SSR કેસમાં ડ્રગ એંગલ નો સામનો કરી રહેલી રિયા ચક્રવર્તીના જેલમાં ગયા બાદ અંકિતાએ તેના સોશ્યલ મીડિયા પર એક મોટી પોસ્ટ શેર કરી છે. અંકિતા લોખંડે લખે છે કે, મીડિયા મને વારંવાર પુછે છે કે મને શું લાગે છે. આ સ્યુસાઇડ છે કે મર્ડર? હું સ્પષ્ટ કરવાં માંગુ છું કે, મે ક્યારેય નથી કહ્યું કે આ મર્ડર છે. કે તેની પાછળ કોઇ વિશેષ વ્યક્તિ જવાબદાર છે. મે હમેશાં મારા દિવંગત મિત્ર સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની વાત કરી છે અને હું તેમનાં પરિવારની સાથે ઉભી છું. તપાસ એજન્સીઓ દ્વારા સત્ય બહાર આવવું જોઇએ. મહારાષ્ટ્રિયન અને ભારતીય નાગરિક હોવાને કારણે, મને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર/ પોલીસ અને કેન્દ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે.
ADVERTISEMENT
વધુમાં અંકિતાએ લખ્યું છે કે, મારા માટે 'સોતન' અને 'વિધવા' જેવાં શબ્દો જાહેરમાં વાપરવામાં આવ્યાં. મે તેનાં પર પણ કોઈ જ જવાબ આપ્યો ન હતો. મે ફક્ત 2016 સુધી સુશાંત અને તેની માનસિક સ્થિતિ અંગે વાત કરી હતી. ડિયર હેટર્સ! માની લઈએ કે આપની મિત્ર અંગે આપને બધુ જ માલૂમ હશે કે તેનાં જીવનમાં શું ચાલી રહ્યું છે અને તેની રિલેશનશિપ કેવી હતી. આ જોઇને સારુ લાગ્યું કે, આખરે આપ જાગો છો. પણ કદાચ આપ થોડા વહેલાં હોશમાં આવી જાત અને આપની મિત્રને કોઈપણ પ્રકારનાં ડ્રગ્સ ન લેવાની સલાહ આપતાં. તેને (રિયા) સુશાંતી મેન્ટલ હેલ્થ અંગે માહિતી હતી. કારણ કે તેણે પબ્લિકલી કહ્યું હતું કે, તે ડિપ્રેશનમાં હતો.
અંકિતાએ રિયાનું નામ લીધા વગર તેનાં પર નિશાન સાધ્યો હતો અને કહ્યું હતું કે, તેણે એક ડિપ્રેસ્ડ વ્યક્તિને ડ્રગ્સ લેવા દેવું જોઇતું હતું? કેવી રીતે કોઇની મદદ કરવામાં આવે છે? તે સમયે સુશાંતનાં સૌથી નજીક હતી તે? એક તરફ તે કહે છે કે, તે સુશાંતનાં સારા સ્વાસ્થ્ય માટે તમામ ડોક્ટર્સ સાથે કો-ઓર્ડિનેટ કરતી હતી. બીજી તરફ તે સુશાંત માટે ડ્રગ્સ પણ કો-ઓર્ડિનેટ કરતી હતી. તેણે જે દાવો કર્યો હતો કે જ્યારે તે કોઇનાંથી ખુબજ પ્રેમ કરતી હતી અને તેની મેન્ટલ હેલ્થ અંગે જાણતી હતી તો શું તે તેને ડ્રગ્સ લેવાં માટે કહેશે? મને નથી લાગતું કે કોઈ આવું કરશે. તો આને કેમ લાપરવાહી અને ગેર જવાબદારભરી હરકત માનવામાં આવે. તેણે સુશાંતની ફેમિલીને ટ્રિટમેન્ટ અંગે જણાવ્યું હતું, પણ સુશાંત ડ્રગ્સ લે છે તે અંગે જણાવ્યું નોહતું. મને વિશ્વાસ છે કે, આવું નહીં થયુ હોય. કારણ કે તે પોતે આ એન્જોય કરતી હતી. તેથી મને લાગે છે કે આ કર્મ/કિસ્મત છે. અજ્ઞાત માટે નાની સલાહ, આપ આપની મિત્રની રક્ષા કરો અને હું પરિવારની સાથે ઉભી છું. પણ એટલું મેન્ટેન કરો કે, આપણે પર્સનલી (ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ) એક બીજા પર કોઈ અટેક ન કરીએ.