શિબાની દાંડેકરની '2 સેકેન્ડ ફેમ'ની વાત પર અંકિતા લોખંડેનો જવાબ,કહ્યું આ
શિબાની VS અંકિતા
અંકિતા લોખંડેની એક પોસ્ટ પછી બોલીવુડ એક્ટ્રેસ શિબાની દાંડેકરે તેના પર નિશાનો સાધ્યો હતો. તેની સાથે જ શિબાનીએ કહ્યું કે રિયા ચક્રવર્તીને ટાર્ગેટ કરીને 2 સેકેન્ડનો ફેમ મેળવવા માગે છે. શિબાની દાંડેકરની આ પોસ્ટનો હવે અંકિતા લોખંડેએ જબરજસ્ત જવાબ આપ્યો છે. તેણે લખ્યું કે હું બોલીવુડમાં અને ટીવીમાં છેલ્લા 17 વર્ષથી છું અને જ્યારે મેં મારા મિત્ર માટે ન્યાય માગવાનો પ્રયત્ન કર્યો તો એક વિચાર વ્યક્ત કરવામાં આવ્યો કે હું આ ન્યાય એટલા માગે માગી રહી છું, કારણકે મને 2 સેકેન્ડની લોકપ્રિયતા અને ફેમની જરૂર છે.
અંકિતા લોખંડેની આ પોસ્ટને લઈને ઘણાં ટેલિવીઝન કલાકારોએ પણ ટ્વીટ કરી રહ્યા છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં શિબાની દાંડેકરને જવાબ આપતાં લખ્યું છે કે, "2 સેકેન્ડની લોકપ્રિયતા", આ રૂઢીપ્રયોગે મને વિચાર કરતી કરી દીધી છે. મેં ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં જી સિને સ્ટાર કી ખોજ શૉથી 2004માં પગ મૂક્યો. પણ મારી ખરી જર્ની 2009માં પવિત્ર રિશ્તા સાથે શરૂ થઈ, જે 2014 સુધી ચાલ્યો. હું તેની સાથે અન્યાય કરીશ જો હું એ નહીં કહું કે શૉ હાઇએસ્ટ ટીઆરપી સાથે છ વર્ષ સુધી સૌથી બેસ્ટ શૉ રહ્યો. પ્રસિદ્ધિ ફક્ત પ્રેમથી મળે છે જે એક્ટરને જનતા પાસેથી પ્રાપ્ત થાય છે. દર્શકોની સાથે હું પણ હજી પણ અર્ચનાના કેરેક્ટર સાથે પોતાને જોડાયેલી જોઇ શકું છું."
ADVERTISEMENT
અંકિતા લોખંડેએ પોતાનની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, "સૌભાગ્યથી મને મણિકર્ણિકા અને બાગી 3માં કામ કરવાની તક મળી. તેમને જોડતાં, હું ટેલીવિઝન અને બોલીવુડમાં છેલ્લા 17 વર્ષથી એક્ટ્રેસ છું અને હવે જ્યારે મારા મિત્ર સુશાંત માટે ન્યાયનું સમર્થન કરું છું તો મારી માટે એક વિચાર વ્યક્ત કરવામાં આવ્યો કે હું ન્યાયની વાત એટલા માટે કરું છું, કારણકે મને 2 સેકેન્ડની પ્રસિદ્ધિ અને સસ્તો પ્રચાર જોઈએ છે. આવું એટલા માટે કારણકે મેં ટેલીવિઝનમાં વધારે કામ કર્યું છે, બોલીવુડમાં નહીં?"
અંકિતા લોખંડેએ પોસ્ટમાં આગળ ટેલીવિઝન એક્ટ્રેસ તરીકે પણ વાત કરી છે. તેણે લખ્યું છે કે, "શું એ જ કારણસર તમે તે વ્યક્તિ તરફનું વલણ અપનાવો છો, જેની સાથે તમારો લગભગ એક દાયકાથી સંબંધ છે? અમારા જેવા ટેલીવિઝન એક્ટરની ટીકા કરવાનું બંધ કરો. ટેલીવિઝન ઉદ્યોગમાં કલાકારો માટે સખત મહેનત અને સમર્પણની એટલી જ જરૂર હોય છે, જેટલી બોલીવુડમાં. હું ટેલીવિઝન એક્ટ્રેસ છું તે વાતનો મને ગર્વ છે. અને જો કોઇ વસ્તુ માટે નહીં હોય તો હું હંમેશાં તે લોકો માટે મારો અવાજ ઉઠાવીશ, જેમને હું પ્રેમ કરું છું અને જેમની ચિંતા કરું છું."