નિયા શર્માનું પાત્ર એ મારી લાઇફ ચેન્જિંગ મોમેન્ટ હતી: અંજલિ તત્રારી
અંજલિ તત્રારી
સોની પર આવતી ‘મેરે ડૅડ કી દુલ્હન’ દ્વારા અંજલિ તત્રારીએ તેનું ડેબ્યુ કર્યું હતું અને તેનું કહેવું છે કે આ પાત્ર તેના માટે લાઇફ-ચેન્જિંગ છે. આ શોમાં શ્વેતા તિવારી અને વરુણ બડોલા લીડ રોલમાં છે. આ શોમાં અંબર શર્માનું પાત્ર ભજવતા વરુણ માટે દુલ્હનની શોધ કરતી હોય છે તેની દીકરી. આ દીકરી નિયાનું પાત્ર અંજલિ ભજવી રહી છે. ઇન્ટરનૅશનલ યુથ ડે હોવાથી આ વિશે અંજલિએ કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિનાં સપનાં હોય છે અને દરેક તેમના પૅશનને ફૉલો કરવા માગતું હોય છે. જોકે કરીઅર અને લાઇફમાં ચૅલેન્જ લેનાર વ્યક્તિઓનાં જ સપનાં પૂરાં થાય છે. લાઇફમાં અડચણ આવતાં હાર ન માનવી જોઈએ, કારણ કે એ એક શીખ હોય છે. આપણાં સપનાં અને ગોલને પામવા માટે આપણે સતત આગળ વધતાં રહેવું જોઈએ. હું હંમેશાંથી ઍક્ટિંગમાં કોશિશ કરવા માગતી હતી. મેં ફૅશન બ્લૉગર તરીકે શરૂઆત કરી હતી અને ત્યાર બાદ મેં મ્યુઝિક વિડિયો અને ઍડ્વર્ટાઇઝમેન્ટમાં પણ કામ કર્યું હતું. જોકે ‘મેરે ડૅડ કી દુલ્હન’માં નિયા શર્માનું પાત્ર મેળવવું મારી લાઇફ-ચેન્જિંગ મોમેન્ટ હતી. મને ખુશી છે કે આ પાત્ર મને મળ્યું. તેમ જ હું મારા સપનાને ફૉલો કરી રહી છું એની પણ મને ખુશી છે. હું યુવાનોને વિનંતી કરું છું કે આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને સપનાઓને પૂરાં કરો. તમારા ડેડિકેશન અને પ્રયત્ન માટે લાઇફ પાસેથી તમને રિવૉર્ડ જરૂર મળશે.’