સર્જરી વગર સ્નાયુની બીમારીને મહાત આપી અનિલ કપૂરે
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
અનિલ કપૂર પગની પાનીની ઉપરના ભાગમાં સ્નાયુની બીમારીથી પીડાતો હતો. એને કોઈ પણ પ્રકારની સર્જરી વગર મહાત આપવામાં તે સફળ થયો છે. એના માટે તેણે અનેક ટ્રીટમેન્ટ લીધી હતી. દોરડા કૂદતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘હું છેલ્લાં 10 વર્ષથી પગની પાનીની ઉપર સ્નાયુની બીમારી એવી એકિલીઝ ટેન્ડનથી પીડાતો હતો. વિશ્વના તમામ ડૉક્ટરોએ મને કહ્યું હતું કે સર્જરી સિવાય બીજો કોઈ ઉપાય નથી. જોકે ડૉક્ટર મુલરે વિવિધ કાયાકલ્પની ટ્રીટમેન્ટ આપી હતી. એથી પહેલાં હું લંગડાતો હતો, બાદમાં ચાલવાથી દોડવા માંડ્યો અને હવે ફાઇનલી દોરડા કૂદવા માંડ્યો છું. એ પણ કોઈ પણ જાતની સર્જરી વગર.’