સારપ જીવનમાં ક્યારેય એળે નથી જતી
યેશુ
ઍન્ડ ટીવી પર ટૂંક સમયમાં આવનારા શો ‘યેશુ’ એક એવા બાળકની વાત લઈને આવે છે જેના જીવનમાં એક જ મક્સદ છે, પોતાની આસપાસ ખુશીઓ ફેલાવવી. પ્રેમ અને લાગણીથી રહેવામાં માનતા યેશુનું બચપણ બહુ ખરાબ છે. પારાવાર દુઃખ અને પીડા તેણે ભોગવી છે, પણ એ બધાની વચ્ચે પણ યેશુની અંદરની સારપ ક્યાંય ગઈ નથી. સારપ જીવનમાં ક્યારેય નકામી જતી નથી એનો અનુભવ યેશુને પોતાને પણ ડગલે ને પગલે થાય છે અને યેશુ આ જ વાત સૌકોઈને સમજાવતો પણ જાય છે.
ડિસેમ્બરમાં આવનારી આ સિરિયલ થકી ઍન્ડ ટીવી પહેલી વાર એક ચાઇલ્ડ ઍક્ટરને ફોકસ કરીને ઑડિયન્સ સામે મૂકશે. ‘યેશુ’માં માત્ર યેશુની જ નહીં, તેના પોતાની માતા સાથેના સંબંધોની વાત પણ કહેવામાં આવી છે.