Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિગબીના દોહિત્રએ ગ્રેજ્યુએશન કર્યું પૂરું, દીકરી શ્વેતાએ કરી તસવીરો શેર

બિગબીના દોહિત્રએ ગ્રેજ્યુએશન કર્યું પૂરું, દીકરી શ્વેતાએ કરી તસવીરો શેર

26 May, 2019 05:00 PM IST |

બિગબીના દોહિત્રએ ગ્રેજ્યુએશન કર્યું પૂરું, દીકરી શ્વેતાએ કરી તસવીરો શેર

અગસ્ત્ય નંદા

અગસ્ત્ય નંદા


મહાનાયક અમિતાભ બચ્ચન માટે આનંદનો અવસર છે. અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા લાઇમલાઇટથી દૂર રહે છે.

મહાનાયક અમિતાભ બચ્ચનના દોહિત્ર અને તેમની દીકરી શ્વેતા નંદાનો દીકરા અગસ્ત્ય નંદાએ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી લીધી છે. આ આનંદના અવસરે શ્વેતા બચ્ચન અને તેની દીકરી નવ્યા નવેલી નંદા અગસ્ત્ય નંદા સાથે જોવા મળી. શ્વેતા નંદાએ સોશિયલ મીડિયા પર દીકરાની આ સફળતાની તસવીરો શેર કરી છે. નોંધનીય છે કે તસવીરોમાં અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી સાથે જોવા મળે છે. આ તસવીરો અભિષેક બચ્ચને લાઇક પણ કરી છે.



 
 
 
View this post on Instagram

In the blink of an eye - congratulations Gus you made it ♥️

A post shared by S (@shwetabachchan) onMay 25, 2019 at 5:10am PDT


મહાનાયક અમિતાભ બચ્ચન માટે આનંદનો અવસર છે. અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા લાઇમલાઇટથી દૂર રહે છે પણ કેટલીય વાર તેની સફળતા વિશે બિગ બી વાત કરતા હોય છે. ચર્ચાઓ થઇ રહી છે કે અગસ્ત્ય નંદા બોલીવુડમાં પોતાનું કરિઅર બનાવવા માગે છે.


 
 
 
View this post on Instagram

One more for luck ?

A post shared by S (@shwetabachchan) onMay 25, 2019 at 5:25am PDT

ઉલ્લેખનીય છે કે શ્વેતા નંદા અને દીકરા અગસ્ત્ય નંદા ફિલ્મોમાં પણ રસ ધરાવે છે. તેમણે એક શોર્ટ ફિલ્મ બનાવી છે જેને તે યૂટ્યૂબ પર ટૂંક સમયમાં જ અપલોડ કરવાના છે. આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે અને સ્ટોરી પણ લખી છે. અમિતાભ બચ્ચન અગસ્ત્ય નંદાની ખૂબ જ નજીક છે. કેટલીય વાર સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચને તેમની તસવીરો શેર કરી છે.

આ પણ વાંચો : પ્રેમીપંખીડા ફરહાન અખ્તર-શિબાની દાંડેકર લગ્ન માટે તૈયાર છે, જુઓ તસવીરો

અમિતાભ બચ્ચન માટે આ પળો ગૌરવાન્વિત પળો છે. તેમનો દોહિત્ર અગસ્ત્યએ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે. શ્વેતા બચ્ચને આ દીકરાની આ ઉપલબ્ધિને સોશિયલ મીડિયા પર શેર કરીને દર્શાવ્યું છે કે તે પોતાના દીકરાને કેટલો પ્રેમ કરે છે. એટલું જ નહીં કોઇપણ માતા માટે આ સન્માનજનક પળ હોય છે. શ્વેતા નંદાએ લખ્યું છે કે તેના દીકરાએ આ પથ ખૂબ જ બુદ્ધિમત્તાપૂર્વક પાર કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2019 05:00 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK