હૉસ્પિટલમાં અમિતાભ બચ્ચનને આવી પિતાની યાદ,મુશ્કેલીઓ સામે લડવાની કરી વાત
તસવીર સૌજન્ય: ટ્વીટર
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) નાણાવટી હૉસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહ્યાં છે. પરંતુ તેઓ સોશ્યલ મીડિયા દ્વારા સમયસર ફૅન્સને તેમની તબિયતના અપડેટ્સ આપતાં હોય છે. હૉસ્પિટલના અનુભવો અને એકલતાની વાત પણ તેઓ બ્લૉગ પર શૅર કરે છે. તેમણે તાજેતરમાં દુશ્મન વિશે અને અને જીવનમાં આવતી મુશ્કેલીઓ બાબતે ટ્વીટ કર્યાં છે. આ પહેલાં અભિનેતાએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, તેમને પિતાજીની યાદ આવી રહી છે. તેમનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયું છે.
અમિતાભ બચ્ચને લેટેસ્ટ ટ્વીટમાં લખ્યું હતું કે, દુશ્મન બનાવવા માટે જરૂરી નથી કે લડવું પડે. જો તમને સફળતા મળે તો તેઓ વારસામાં જ મળે છે.
ADVERTISEMENT
T 3607 -" दुश्मन बनाने के लिए ज़रूरी नही लड़ा जाए,
— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020
आप थोड़े कामयाब हो जाओ तो वो ख़ैरात में मिलेंगें " ~
In order to make enemies it is not essential to fight .. just be a little successful, you'll get them at a pittance ..
??? pic.twitter.com/IIhTSoFHVZ
તો બીજા ટ્વીટમાં અમિતાભ બચ્ચને જીવનમાં આવતી મુશ્કેલીઓની વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'જીવનમાં મુશ્કેલીઓ આવશે તે તો નક્કી જ છે, પરંતુ હારવું એ એક પ્રકારની રસપ્રદ, શંકાસ્પદ અને અનિશ્ચિત વાત છે.'
T 3607 -" Being challenged in life is inevitable, being defeated is optional."~ ef
— Amitabh Bachchan (@SrBachchan) July 27, 2020
जीवन में चुनौतियाँ तो निश्चित हैं ; लेकिन हार जाना वैकल्पित , रुचिपूर्ण , संदिग्ध - जिसके संबंध में किसी प्रकार का अनिश्चय हो। pic.twitter.com/BKgo6NY9LK
આ પહેલાં, હૉસ્પિટલમાં એકલતા અનુભવતા અમિતાભ બચ્ચન પિતા હરિવંશ રાય બચ્ચન (Harivansh Rai Bachchan)ને યાદ કરી રહ્યાં છે. એકલતાની વાત કરતાં તેમણે ટ્વીટ કર્યું છે કે, બાબુજીની કવિતાની કેટલીક પળો. તેઓ આ રીતે કવિ સમ્મેલનમાં ગાતા હતા. હૉસ્પિટલની એકલતામાં તેમની બહુ યાદ આવે છે અને તેમના જ શબ્દોથી મારી સુની રાતોને આબાદ કરું છું.
T 3606 - बाबूजी की कविता के कुछ पल । वो इसी तरह गाया करते थे कवि सम्मेलनों में । अस्पताल के अकेले पन में उनकी बहुत याद आती है, और उन्हीं के शब्दों से अपनी सूनी रातों को आबाद करता हूँ । pic.twitter.com/KmSJoliQmz
— Amitabh Bachchan (@SrBachchan) July 26, 2020
અમિતાભ બચ્ચનનું આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર બહુ જ વાયરલ થયું છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા હૉસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં છે અને છેલ્લા ઘણા સમયથી કોઈને મળ્યાં નથી. એટલે સમય પસાર કરવા માટે તેઓ પિતાની કવિતાનો આધાર લે છે. એકલતા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ડૉક્ટર પણ વીડિયો કૉલ દ્વારા જ વાત કરે છે અને જો કોઈ આવે છે તો પણ પીપીઈ કીટ પહેરીને આવે છે. એટલે કેટલાંય દિવસોથી કોઈ માણસને જોયા જ નથી. આની તબિયત પર શું અસર થાય છે તે વિશે પણ તેમણે બ્લૉગમાં લખ્યું હતું.
અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન અત્યારે નાણાવટી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.