અમિતાભ બચ્ચને દિલ્હી જઈ ફાળકે અવૉર્ડ સ્વીકાર્યો
અચીવમેન્ટ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી દાદાસાહેબ ફાળકે અવૉર્ડ સ્વીકારતા અમિતાભ બચ્ચન.
અમિતાભ બચ્ચનને ગઈ કાલે દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે મારે હજી ઘણાં કામ કરવાનાં બાકી છે. અમિતાભ બચ્ચનની તબિયત સારી ન હોવાથી તેઓ ૨૩ ડિસેમ્બરે આયોજિત અવૉર્ડ સેરેમનીમાં હાજર રહી શક્યા નહોતાં. એથી ઇર્ન્ફોમેશન અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે એક સ્પેશ્યલ સેરેમનીનું આયોજન કરીને અમિતાભ બચ્ચનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે સન્માનિત કરવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમમાં તેમની સાથે તેમની પત્ની અને સાંસદ જયા બચ્ચન તથા દીકરો અભિષેક બચ્ચન હાજર હતો.
આ પણ વાંચો : પાંચ વર્ષની ધ્યાની બની ઇન્ડિયાની યંગેસ્ટ ફેમસ યુટ્યુબર
ADVERTISEMENT
અવૉર્ડ મળ્યા બાદ મજાકિયા અંદાજમાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘આ અવૉર્ડની જ્યારે મારા માટે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે મારા દિમાગમાં એક શંકા ઊભી થઈ હતી, કે શું આ એક સંકેત છે કે મારે હવે ઘરે બેસવુ જોઈએ? આટલા વર્ષો કામ કર્યા પછી હવે આરામ કરવો જોઈએ? હજી તો મારે ઘણાં કામો પૂરા કરવાનાં બાકી છે. કેટલાક પ્રોજેક્ટસ પર ચર્ચા ચાલી રહી છે અને એમાં કામ કરવાની પણ તક મળી શકે છે. આ તો મારે માત્ર એક ચોખવટ કરવી હતી.’