બીમારી બાદ મહાનાયકનું ટ્વીટ, ચાહકોનો માન્યો આભાર
બિગ બીએ માન્યો ચાહકોનો આભાર
બીમારીના કારણે આ રવિવારે અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને નહોતા મળી શક્યા. પરંતુ તેમને અંદાજ નહોતો કે એ દિવસ ચાહકોને મળી નહીં શકવાની શું અસર થશે. હવે તેમણે ટ્વીટ કરી ચાહકોનું અભિવાદન કર્યું છે.
T 3154 - All Ef and well wishers .. not doing the Sunday meet at Jalsa Gate this evening .. ?
— Amitabh Bachchan (@SrBachchan) May 5, 2019
ADVERTISEMENT
અમિતાભ બચ્ચન દર રવિવારે જલસાની બહાર પ્રશંસકોને સંડે દર્શન આપે છે. છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી આ સિલસિલો ચાલ્યો આવે છે. પરંતુ આ રવિવારે બીમારીના કારણે તેઓ પ્રશંસકોને ન મળી શક્યા. તેમણે ટ્વીટ કર્યું કે તબિયતના કારણે તેઓ જલસાની બહાર સંડે દર્શન માટે નહીં આવી શકે.
મહાનાયકના આ ટ્વીટ બાદ પ્રશંસકોએ તેમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરવા લાગ્યા. અમિતાભ બચ્ચનને અંદાજ જ નહોતો કે એક દિવસ ચાહકોને ન મળવાની શું અસર થશે. તેમણે એક ખાસ ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો.
T 3155 - मैं न जानता था की , एक दिन इतवार को अपने चाहने वालों से, जलसा के द्वार पे, न मिल पाने पर, इतनी बड़ी ख़बर बन जाएगी ! आप सब को स्नेह , मेरा आदर और सम्मान ?❤️
— Amitabh Bachchan (@SrBachchan) May 6, 2019
આ પણ વાંચોઃ Avengers Endgame: વિશ્વમાં તબાહી મચાવ્યા બાદ હવે Avatarનો રેકોર્ડ તુટશે
બોલીવુડમાં કદાચ જ કોઈ એવો કલાકાર હશે જેઓ નિયમિત પોતાના ચાહકોને મળે છે. અને તેમનો ખાસ આભાર માને છે. આ કલાકારોમાંથી એક અમિતાભ બચ્ચન છે.