Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' પર કૉપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' પર કૉપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ

17 November, 2019 08:47 PM IST | Mumbai Desk

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' પર કૉપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' પર કૉપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ


હેદરાબાદ સ્થિત ફિલ્મ નિર્દેશક ચિન્ની કુમારે કૉપીરાઇટના ઉલ્લંખગ મામલે હિન્દી ફિલ્મ 'ઝુંડ'ના નિર્માતાઓ અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા અભિનેતા અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી છે. નંદી ચિન્ની કુમાર એક સ્વતંત્ર ફિલ્મ નિર્દેશક છે. તેમણે ફિલ્મ ઝુંડના નિર્દેશક અને નિર્માતા નાગરાજ મંજુલે, નિર્માતા કૃષ્ણ કુમાર, ટી-સીરીઝના માલિક ભૂષણ કુમાર, અમિતાભ બચ્ચન અને સ્લમ સૉકરના સંસ્થાપક વિજય બરસેને નોટિસ મોકલી છે, જેના જીવન પર ફિલ્મ બનવાની વાત કહેવામાં આવી છે.

નંદી ચિન્ની કુમારે આઈએએનએસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેણે નોટિસનો જવાબ ફક્ત ટી-સીરીઝને મળ્યા છે પણ આ ખૂબ જ અસ્પષ્ટ છે. નંદી ચિન્ની કુમારે આ આરોપ મૂક્યો છે કે ફિલ્મ નિર્માતાઓ દ્વારા તેમનો દગો દેવામાં આવ્યો અને હવે નંદી ચિન્ની કુમાર ફિલ્મની રિલીઝને સિનેમાઘરો, ટેલીવિઝન અને બધાં જ ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર અટકાવવા માટે ન્યાયાલય જવાનું મન બનાવી રહ્યા છે.



નંદી ચિન્ની કુમારનો દાવો છે કે તેમણે 2017માં ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદી લીધા હતા, જે એક સ્લમ સૉકર ખેલાડી હતા અને હોમલેસ વર્લ્ડ કપમાં ભારતીય કૅપ્ટન હતા. વંદી ચિન્ની કુમારે નાગપુરની મલિન વસ્તીઓમાં જન્મ લીધો અખિલેશના જીવન પર સ્લમ સૉકર નામના બહુભાષી ફિલ્મ લખવા અને નિર્દેશિત કરવાની યોજના બનાવી હતી, જે નશાના આદી હતા. જો કે ફુટબૉલ માટે તેમના જુનૂને તેમનું જીવન બદલી દીધું અને તે હોમલેસ વર્લ્ડ કપમાં ભારતના કૅપ્ટન બન્યા.



ફિલ્મ નિર્દેશકે 11 જૂન, 2018ના તેલંગણાં સિનેમા રાઇટર્સ એસોસિએશન સાથે સ્ટોરી અને પટકથાને રજિસ્ટર્ડ કરવાનો દાવો કર્યો છે. તો મરાઠી બ્લૉકબ,્ટર સૈરાટના નિર્દેશક નાગરાજ મંજુલે વિજય બરસેના જીવન પર એક ફિલ્મ બનાવવાના અધિકાર ખરીદી લીધા, જે અખિલેશના કોચ છે. આ રીતે કથિત રીતે કૉપીરાઇટનું ઉલ્લંઘન કરવાની વાત કહી છે.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

તેમના પ્રમાણે નાગરાજ મંજુલે અખિલેશ પૉલને 4 લાખ રૂપિયામાં અધિકાર ખરીદવાનો દાવો કર્યો હતો, પણ તે આના ડૉક્યૂમેન્ટ્સ નથી બતાવી રહ્યા. નંદી ચિન્ની કુમારે એ પણ કહ્યું, "અખિલેશે તેમને રાઇટ્સ વેંચવાની વાતની ના પાડી દીધી છે. નાગરાજે મને અપમાનિત કર્યા અને કાગળો બતાવ્યા વગર સેટલમેન્ટ કરવા માટે મજબૂર કરે છે."

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 08:47 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK