Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચન અને ચિરંજીવી જોવા મળશે ગુરૂ-શિષ્યની ભૂમિકામાં

અમિતાભ બચ્ચન અને ચિરંજીવી જોવા મળશે ગુરૂ-શિષ્યની ભૂમિકામાં

19 August, 2019 07:34 PM IST |

અમિતાભ બચ્ચન અને ચિરંજીવી જોવા મળશે ગુરૂ-શિષ્યની ભૂમિકામાં

અમિતાભ બચ્ચન અને ચિરંજીવી જોવા મળશે ગુરૂ-શિષ્યની ભૂમિકામાં


બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સાઉથના સુપર સ્ટાર ચિરંજીવી પહેલી વાર ફિલ્મી પરદે સાથે કામ કરશે. મળી રહેલ માહિતી પ્રમાણે ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’ માટે બન્ને સ્ટાર અભિનેતાઓ સાથે કામ કરવા માટે તૈયાર થાય છે. ફિલ્મનું ટીઝર 20 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. ટીઝર પહેલાં ફિલ્મના કલાકારોના ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યા છે. ટીઝર પહેલા મહાનાયક અમિતાભ બચ્ચન, ચિરંજીવી, નયનતારા, વિજય સેતુપતિ, જગપતિ બાબુ તથા તમન્ના ભાટિયાનો લુક શૅર કરવામાં આવ્યો હતો.

સે રા નરસિમ્હા રેડ્ડી ફિલ્મને સુરેન્દર રેડ્ડીએ ડિરેક્ટ કરી છે. રામચરણ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ ફિલ્મને હિંદીમાં ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની એક્સલ એન્ટરટેઈન્મેન્ટ કંપની તથા અનિલ થડાનીની AA ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટ કરશે. ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે. સે રા નરસિમ્હા રેડ્ડીની ટક્કર યજરાજ બેનરમા બનેલી ફિલ્મ વૉર સાથે થશે. ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને રીતિક રોશન જોવા મળશે.



ફિલ્મ ભારતની આઝાદી માટે લડનારા ફ્રીડમ ફાઈટરમાંથી એક ઉય્યલવાડા નરસિમ્હા રેડ્ડીની બાયોપિક છે. નરસિમ્હા રેડ્ડીએ 1846માં બ્રિટિશ સરકાર વિરૂદ્ધ વિદ્રોહ કર્યો હતો. ફિલ્મમાં ચિરંજીવીએ ઉય્યલવાડાનો રોલ પ્લે કર્યો છે. અમિતાભ બચ્ચન ચિરંજીવીના ગુરુ તથા આધ્યાત્મિક નેતા ગોસાઈ વેંકન્નાના રોલમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2019 07:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK