અમિત ત્રિવેદીએ નેપોટિઝ્મ પર આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું આવું...
અમિત ત્રિવેદી, સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નેપોટિઝ્મ પર શરૂ થયેલો વિવાદ હજી પણ ચાલું છે. આ મુદ્દે અત્યાર સુધી અનેક સિતારાઓના નિવેદન સામે આવી ચૂક્યા છે. કેટલાક સિતારાઓએ નેપોટિઝ્મના સપોર્ટમાં નિવેદન આપ્યું છે તો કેટલાકે આને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું રાજકારણ કહી રહ્યા છે. હવે નેપોટિઝ્મ પર જાણીતા મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર અમિત ત્રિવેદીએ પણ નિવેદન આપ્યું છે. અમિત ત્રિવેદીનું નિવેદન ચોંકાવનારું છે. અમિત સુશાંત સાથે 'કાય પો છે' અને 'કેદારનાથ'માં કામ કર્યું છે. અમિતે 'કાય પો છે'નું માંજા અને કેદારનાથનું નમો નમો શંકરા અને કાફિરાના કમ્પોઝ કર્યું હતું.
બોલીવુડ લાઇફ સાથે વાત કરતા અમિતે કહ્યું તે, "જ્યારે પણ હું આ ગીતો સાથે સ્ટેજ પર પર્ફોર્મ કરીશ ત્યારે મારા મગજમાં સૌથી પહેલા સુશાંત આવશે... કે તેણે આ પગલું ભરીને અમારા બધાનું દિલ તોડી દીધું. કારણ ભલે જે પણ હોય પણ તેણે આ પગલું ભર્યું. હું તે સમયે ખરેખર વિખેરાઇ ગયો હતો, મારું દીલ તૂટી ગયું હતું. અમે સાથે ખૂબ જ નજીકથી એક બીજા સાથે કામ કર્યું છે, આટલા મોટા નુકસાનને ડીલ કરી શકવું ખૂબ જ મુશ્કેલ છે.
ADVERTISEMENT
નેપોટિઝ્મ બાબતે શરૂ થયેલા વિવાદને અમિતે બકવાસ અને ટાઇમ વેસ્ટેડ જણાવી છે અને કહ્યું કે, "નેપોટિઝ્મ બકવાસ છે અને આ એકદમ ટાઇમ વેસ્ટેડ ટૉપિક છે, જેના પર લોકો અત્યારે વાત કરી રહ્યા છે. નેપોટિઝ્મ જેવું કંઇ નથી. જો નેપોટિઝ્મ ક્યાંય છે તો ફક્ત હિરો અને હિરોઇન્સ વચ્ચે છે, અન્યથા ક્યાંય નથી. કોઇકના પિતા આ વાતથી હેરાન નથી કે તેનો દીકરો ડાયરેક્ટર છે, મ્યૂઝિક ડાયરેક્ટર છે કે સિંગર. તમારે આ પ્રશ્ન ફક્ત એક્ટર્સને પૂછવો જોઇએ. બીજા કોઇને આ વાતથી ફરક નથી પડતો, જે હું નથી. મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ જેવું કંઇ નથી."