Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પહેલેથી જ મને રાજા-રાણીની સ્ટોરીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો : માનુષી છિલ્લર

પહેલેથી જ મને રાજા-રાણીની સ્ટોરીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો : માનુષી છિલ્લર

04 March, 2020 12:12 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

પહેલેથી જ મને રાજા-રાણીની સ્ટોરીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો : માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર


માનુષી છિલ્લરનું કહેવું છે કે તેને હંમેશાંથી રાજા-રાણીની સ્ટોરીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડ્યો છે. યશરાજ ફિલ્મની અક્ષયકુમાર સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તે રાજપૂત પ્રિન્સેસ સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘મને પહેલેથી જ ઇતિહાસમાં ખૂબ જ રસ હતો. મોટા-મોટા રાજમહેલ અને કિંગડમ તેમ જ તેમની બહાદુરીની ગાથામાં મને ખૂબ જ રસ હતો. પૃથ્વીરાજ અને સંયોગિતાની સ્ટોરી પણ મને ખૂબ જ પસંદ હતી. મને જ્યારે યશરાજ દ્વારા આ ફિલ્મ ઑફર કરવામાં આવી ત્યારે મને લાગ્યું કે લાઇફ જાણે ફુલ સર્કલ જેવી છે.

આ પણ વાંચો : મહિલાઓ માટે ફિલ્મના સેટ આજે ખૂબ જ સેફ બની ગયા છે : કાજોલ



હું જ્યારે ફિલ્મનું નરેશન સાંભળી રહી હતી ત્યારે પણ મારા ચહેરા પર સ્માઇલ આવી જતી હતી, કારણ કે આ સ્ટોરી સ્કૂલમાં પણ મને ખૂબ જ પસંદ હતી. ઇન્ડિયાના ઇતિહાસમાં પૃથ્વીરાજ અને સંયોગિતાની સ્ટોરી પણ ખૂબ જ સુંદર છે અને મને ખુશી છે કે તેને સ્ક્રીન પર જીવંત કરવાની મને તક મળી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2020 12:12 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK