કંગના રણોતના મનાલી સ્થિત ઘરે ફાયરિંગ બાદ પોલીસ તૈનાત
કંગના રણોત
સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાદ સતત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેલી અભિનેત્રી કંગના રણોત(Kangana Ranaut)ની ટીમે શુક્રવારે મોડી રાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેના મનાલી સ્થિત ઘરની પાસે ફાયરિંગનો અવાજ સંભળાયો છે. ત્યાર બાદ કુલ્લૂ પોલીસ કંગનાના ઘરે પહોંચી ગઈ છે. જો કે, પ્રાથમિક તપાસમાં પોલીસને કોઇપણ પુરાવા નથી મળ્યા. જ્યારે કંગનાએ કહ્યું કે આ તેને ડરાવવાના પ્રયત્ન હેતુ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ પોલીસે એક ટીમ કંગનાના ધરે સુરક્ષા માટે લગાડી દીધી છે.
જાણો કંગનાએ શું કહ્યું
કંગનાએ જણાવ્યું કે, "હું મારા બેડરૂમમાં હતી અને રાતે લગભગ 11.30 વાગ્યે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો. પહેલા મને લાગ્યું કે કોઇકે ફટાકડા ફોડ્યા હશે પણ જ્યારે બીજીવાર અવાજ આવ્યો તો હું સજાગ થઈ ગઈ કારણકે આ ગોળી ચલાવવાનો અવાજ હતો. હાલ તો મનાલીમાં ટૂરિસ્ટ પણ નતી આવતા તો ફટાકડા તો કોઇ ન જ ફોડે. તેતી મેં તરત જ સિક્યૉરિટીને બોલાવ્યો. મેં જ્યારે તેને પૂછ્યું તો તેણે કહ્યું કે શક્ય છે કે કદાચ બાળકો હોય. શક્ય છે કે મારી સિક્યોરિટીના માણસે ક્યારેય ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો જ ન હોય. જો કે બહાર કોઇ નહોતું. અમે ઘરે 5 જણ છીએ. ત્યાર બાદ અમે પોલીસ બોલાવી લીધી."
ADVERTISEMENT
જાણો પોલીસે શું કહ્યું?
કંગનાએ કહ્યું, "પોલીસે કહ્યું કે કદાચ કોઇક ચામાચીડિયાને મારવાનો પ્રયત્ન કરતું હશે કારણકે ચામાચીડિયા સફરજનની ખેતીને નુકસાન પહોંચાડે છે. શનિવારે સવારે અમે સફરજનના બગીચાના મલિકને બોલાવ્યો પણ તેણે કહ્યું કે તેમણે કોઇ ગોળીબારી કરી નથા. તેથી અમને લાગે છે કે આ અમને ડરાવવા માટે કરવામાં આવ્યું હતું." કંગનાએ એ પણ કહ્યું કે તેમની પૉલિટિકલ કોમેન્ટને કારણે આ બધું થઈ રહ્યું છે. કંગનાએ એ પણ દાવો કર્યો છે કે આ કોઇક વિદેશી હથિયાર દ્વારા ચલાવવામાં આવેલી ગોળી હતી. કંગનાએ એ પણ કહ્યું કે આ પછી પણ તે ડરશે નહીં.