Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી આ મહિનાના એન્ડમાં રિલીઝ

ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી આ મહિનાના એન્ડમાં રિલીઝ

22 January, 2020 07:10 PM IST | રાજકોટ

ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી આ મહિનાના એન્ડમાં રિલીઝ

ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી

ધી વર્ડિક્ટ – સ્ટેટ વર્સસ નાણાવટી


એકતા કપૂર આ મહિનાની ૩૦મીએ ઑલ્ટબાલાજીના પ્લૅટફૉર્મ પર ‘ધી ‌વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી’ રિલીઝ કરશે. ડિરેક્ટર શશાંત શાહની આ વેબ-સ‌િરીઝનો વિષય સત્યઘટના છે. ૧૯પ૯માં નેવી ઑફિસર કે. એમ. નાણાવટીએ સિંધી બિઝનેસમૅનની ગોળી મારીને હત્યા કરી અને પછી હત્યાનો ગુનો કબૂલી પણ લીધેલો. નાણાવટી કેસ તરીકે કુખ્યાત થયેલા આ કેસ પર ગુલઝારે વિનોદ ખન્નાને લઈને ‘અચાનક’ બનાવી હતી તો ડિરેક્ટર આર. કે. નય્યરે સુનીલ દત્તને લઈને ‘યે રાસ્તે હૈં પ્યાર કે’ બનાવી હતી, જ્યારે બે વર્ષ પહેલાં અક્ષયકુમારે આ જ સબ્જેક્ટ પર ‘રુસ્તમ’ કરી હતી. એક જ ઘટના પરથી બનેલી આ ત્રણે ફિલ્મો હિટ હતી. આ જ વિષય પર હવે એકતાએ ‘ધી ‌વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી’ વેબ-સ‌િરીઝ બનાવી છે.

આ પણ વાંચો : વેબ-શોને કારણે ધીરજ રાખતાં અને નૅચરલ ઍક્ટિંગ શીખી છું : દિવ્યાંકા



‘ધી ‌વર્ડિક્ટ-સ્ટેટ વર્સસ નાણાવટી’માં અલી અવરમ, અંગદ બેદી, માનવ કૌલ, સુમીત વ્યાસ, મકરંદ દેશપાંડે, સૌરભ શુક્લા અને સ્વાનંદ કિરકિરે જેવા ઍક્ટરો છે. દસ એપિસોડની આ વેબ સ‌િરીઝમાં ક્યાંય કલ્પનાઓને ભેળવવામાં નથી આવી એવો દાવો કરતાં સ‌િરીઝના ડિરેક્ટર શશાંત શાહ કહે છે, ‘ઘટના જે ઘટી હતી અને પોલીસતપાસમાં જેકંઈ બહાર આવ્યું છે એને જ બેઝ બનાવીને રાખવામાં આવ્યો છે. હું કહીશ કે ભવિષ્યમાં આ વેબ-સ‌િરીઝ નાણાવટી કેસના ડિજિટલ દસ્તાવેજ તરીકે ઓળખાશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 07:10 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK