Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિરની ફિલ્મ ઠુકરાવવાનો પસ્તાવો છે આલિયા ભટ્ટને

આમિરની ફિલ્મ ઠુકરાવવાનો પસ્તાવો છે આલિયા ભટ્ટને

30 August, 2019 10:58 AM IST | મુંબઈ

આમિરની ફિલ્મ ઠુકરાવવાનો પસ્તાવો છે આલિયા ભટ્ટને

આમિરની ફિલ્મ ઠુકરાવવાનો પસ્તાવો છે આલિયા ભટ્ટને

આમિરની ફિલ્મ ઠુકરાવવાનો પસ્તાવો છે આલિયા ભટ્ટને


આલિયા ભટ્ટને હવે એ વાતનો પસ્તાવો થઈ રહ્યો છે કે તેણે શું કામ આમિર ખાનની ફિલ્મને નકારી હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાલ્લાહ’ માટે આમિરની ઓશોની બાયોપિકને આલિયાએ ના પાડી હતી. આલિયા ‘ઇન્શાલ્લાહ’ માટે ખૂબ જ એક્સાઇટેડ હતી, કારણ કે આ ફિલ્મ દ્વારા તે પહેલી વાર સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની હતી. આ ફિલ્મ માટે તો તેણે બધી ડેટ્સ પણ આપી દીધી હતી. જોકે ફિલ્મને થોડા સમય માટે બંધ કરવામાં આવતાં આલિયાની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. આલિયાએ આ અગાઉ કદી પણ આમિર કે સલમાન સાથે કામ નથી કર્યું. એવામાં આ બન્ને ફિલ્મો તેના હાથમાંથી જતી રહી છે. એથી ક્યાંક ને ક્યાંક આમિરની ફિલ્મને નનૈયો ભણવાનો પસ્તાવો તો આલિયાને થતો જ હશે. એવી પણ ચર્ચા છે કે આલિયાએ આમિરની ફિલ્મ સિવાય અન્ય ફિલ્મોને પણ ના પાડી હતી.

આ પણ જુઓઃ 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 10:58 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK