Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રંગોલી ચંદેલના પ્રહાર પર વળતો જવાબ ન આપવાને યોગ્ય માને છે આલિયા

રંગોલી ચંદેલના પ્રહાર પર વળતો જવાબ ન આપવાને યોગ્ય માને છે આલિયા

23 April, 2019 09:06 AM IST | મુંબઈ

રંગોલી ચંદેલના પ્રહાર પર વળતો જવાબ ન આપવાને યોગ્ય માને છે આલિયા

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટનું માનવું છે કે કંગના રનોટની બહેન રંગોલી ચંદેલના વાર પર જવાબ ન આપવો એ જ યોગ્ય જવાબ છે. રંગોલી સતત આલિયા પર તીખા વાર કરી રહી છે, પરંતુ આલિયાએ મૌન ધારણ કરી રાખ્યું છે. આલિયાને કહેવામાં આવ્યું હતું કે તે રંગોલીના તીખા વાર પર જવાબ નથી આપતી એ તેની મૅચ્યોરિટી દેખાડે છે. આ સંદર્ભે આલિયાએ કહ્યું હતું કે ‘હું જો મૅચ્યોર છું તો મારી ફૅમિલી મારા કરતાં ૧૦ ગણી વધુ મૅચ્યોર અને સ્ટ્રૉન્ગ છે. હું આ બધામાં પડવા નથી માગતી. હું ખુશ રહેવા માગું છું. હું પૉઝિટિવ રહેવા માગું છું. સખત મહેનત કરીને મારામાં દરરોજ સુધારો લાવવા માગું છું. હું એ વાત પર ધ્યાન નથી આપતી કે લોકો શું કહે છે અને શું નથી કહેતા. દરેકને પોતાની મરજી પ્રમાણે બોલવાનો અધિકાર છે. જોકે હું ચૂપ રહીશ એ જ મારા માટે યોગ્ય છે.’

આ પણ વાંચો : મારો ઇલેક્શન લડવાનો કોઈ ઇરાદો નથી: અક્ષયકુમાર



ફિલ્મ પર જનતાનો નિર્ણય એ જ સર્વોપરી છે


આલિયા ભટ્ટની ‘કલંક’એ ધારી સફળતા નથી મેળવી એ માટે આલિયાનું માનવું છે કે લોકોનો નિર્ણય જ હંમેશાં મહkવ ધરાવે છે. ફિલ્મ પર વિશ્લેષણ કરશે કે નહીં એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું મારી ફિલ્મનું વિશ્લેષણ નહીં કરીશ, કારણ કે મને એની જરૂર નથી લાગતી. ફિલ્મ માટે દર્શકોનો નિર્ણય જ સર્વોપરી છે. જો લોકોને ફિલ્મ ન ગમી હોય તો એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નહીં ચાલે. એથી આપણે એ વાતને સ્વીકારવી જ રહી. આપણે આગળ વધીને, વધુ મહેનત કરીને એ વાતની ખાતરી કરવી જોઈએ કે હવે જ્યારે પણ આવીશું તો લોકોની આશા પર ખરા ઊતરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2019 09:06 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK