સ્ટેટ ઑફ સીજ સિરીઝમાં વાત અક્ષરધામ હુમલાની
અક્ષય ખન્ના
ગયા વર્ષે ઝીફાઇવ પર ‘સ્ટેટ ઑફ સીજ: ૬/૧૧’ નામની સિરીઝ રિલીઝ થઈ હતી જેમાં મુંબઈના આતંકવાદી હુમલામાં આર્મી ઑફિસર્સની દિલધડક કામગીરી બતાવવામાં આવી હતી. આ ‘સીજ’ ફ્રૅન્ચાઇઝી આગળ વધારતાં ઝીફાઇવ હવે ‘સ્ટેટ ઑફ સીજ: અક્ષરધામ’ બનાવી રહ્યું છે જે ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર થયેલા હુમલા આધારિત છે. જોકે ‘સ્ટેટ ઓફ સીજ: ૨૬/૧૧’ એક સિરીઝ હતી અને ‘સ્ટેટ ઑફ સીજ: અક્ષરધામ’ને એક ફીચર ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવશે.
કેન ઘોષ નિર્દેશિત ‘અક્ષરધામ’થી અક્ષય ખન્ના ડિજિટલ ડેબ્યુ કરવાનો છે. અક્ષય છેલ્લે ‘સેક્શન ૩૭૫’ અને ‘સબ કુશલ મંગલ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. ‘સ્ટેટ ઑફ સીજ: અક્ષરધામ’માં ગૌતમ રોડે, અભિલાષ ચૌધરી, મૃદુલ દાસ પણ મહત્ત્વનું પાત્ર ભજવવાના છે. ૨૦૦૨માં ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં ૩૦ લોકોનાં મૃત્યુ થયાં હતતાં અને ૮૦ જેટલા લોકો ઘવાયા હતા. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની શક્યતા છે.