Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી દરમ્યાન નહીં રિલીઝ થાય સૂર્યવંશી

દિવાળી દરમ્યાન નહીં રિલીઝ થાય સૂર્યવંશી

03 October, 2020 07:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળી દરમ્યાન નહીં રિલીઝ થાય સૂર્યવંશી

અક્ષયકુમાર

અક્ષયકુમાર


અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ દિવાળી દરમ્યાન રિલીઝ નહીં થાય. સાથે જ રણવીર સિંહની ‘83’ પણ પોસ્ટપોન કરવામાં આવી છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે અગાઉ જાહેરાત કરી હતી કે ‘સૂર્યવંશી’ દિવાળી દરમ્યાન અને ‘83’ ક્રિસમસ વખતે રિલીઝ કરવામાં આવશે. જોકે કોરોનાને કારણે લાગુ થયેલા લૉકડાઉનથી બધું જ ઠપ્પ થયું છે. 15 ઑક્ટોબરથી સિનેમા હૉલ્સ 50 ટકાની કૅપેસિટી સાથે શરૂ કરવાની સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટના ગ્રુપ સીઈઓ સિબાશિષ સરકારે કહ્યું હતું કે ‘એક બાબત તો સ્પષ્ટ છે કે અમે દિવાળી દરમ્યાન કોઈ ફિલ્મ નથી રિલીઝ કરવાના. હજી સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. દિવાળી દરમ્યાન ફિલ્મ રિલીઝ કરવાની હાલમાં તો શક્યતા નથી. 15 ઑક્ટોબરથી થિયેટર્સ શરૂ થવાની તો શક્યતા લાગતી નથી. જો 1 નવેમ્બરે પણ થિયેટર્સ ઊઘડી જાય તો પણ માત્ર 10-15 દિવસની અંદર ફિલ્મ કઈ રીતે રિલીઝ કરી શકાય? અમને એ વાતની ખાતરી નથી કે ‘સૂર્યવંશી’ કે પછી ‘83’ની રિલીઝની

તારીખ બદલીએ કે પછી એક ફિલ્મની તારીખ જ બદલીએ. આ બાબત તો ડિસેમ્બરથી માર્ચ દરમ્યાન જ સ્પષ્ટ થશે. એ રિયલિસ્ટિક ટાઇમલાઇન છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2020 07:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK