Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કન્ટ્રોવર્સીમાં કિરેન રિજીજુનો સપોર્ટ મળતાં આભાર માન્યો અક્ષયકુમારે

કન્ટ્રોવર્સીમાં કિરેન રિજીજુનો સપોર્ટ મળતાં આભાર માન્યો અક્ષયકુમારે

09 May, 2019 12:11 PM IST | મુંબઈ

કન્ટ્રોવર્સીમાં કિરેન રિજીજુનો સપોર્ટ મળતાં આભાર માન્યો અક્ષયકુમારે

અક્ષયકુમાર

અક્ષયકુમાર


અક્ષયકુમારે હાલમાં જ યુનિયન મિનિસ્ટર ઑફ સ્ટેટ ફૉર હોમ અફેર્સ કિરેન રિજીજુનો આભાર માન્યો છે. લોકસભાના ઇલેક્શનને લઈને ઊભી થયેલી અક્ષયકુમારના નાગરિકત્વની કન્ટ્રોવર્સીમાં કિરેન રિજીજુએ તેને સપોર્ટ કર્યો હતો. ત્રણ મેએ કિરેન રિજીજુએ ટ્વીટ કર્યું હતું કે ‘ડિયર અક્ષયકુમારજી, તમારી દેશભક્તિ વિશે કોઈ સવાલ નહીં ઉઠાવી શકે. આપણી આર્મીના જવાનો માટે તમે જે પ્રેરણા પૂરી પાડો છો અને ભારત કે વીર પ્રોગ્રામ દ્વારા શહીદોના પરિવાર માટે તમે જે ફન્ડ ભેગું કરવામાં મદદ કરી છે એ આ દેશના દરેક દેશભક્ત માટે એક પૂરતું ઉદાહરણ છે.’

આ પણ વાંચો : હું હાલમાં લગ્ન નથી કરી રહ્યો : અર્જુન કપૂર



કિરેન રિજીજુના ટ્વીટનો જવાબ આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કિરેન રિજીજુ સર, તમારો ખૂબ જ આભાર અને મોડો રિપ્લાય આપવા બદલ હું માફી માગું છું. તમારા શબ્દો માટે હું આભારી છું. ભલે કંઈ પણ થાય, ભારત કે વીર માટે અને ઇન્ડિયન આર્મી માટે મારું જે કમિટમેન્ટ છે એને હું હંમેશાં પૂરું કરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 12:11 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK