ટ્રાફિકને કારણે મુંબઈ મેટ્રોને પસંદ કરી હતી અક્ષયકુમારે
અક્ષયકુમાર
મુંબઈમાં વધતી ટ્રાફિકને જોતાં અક્ષયકુમારે મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો અને એની પ્રશંસા પણ કરી છે. અક્ષયકુમાર ઘાટકોપરમાં શૂટિંગ કરી રહ્યો હતો અને તેને વર્સોવા પહોંચવાનું હતું. જોકે સાંજના સમયે તે ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. એથી તેની ‘ગુડ ન્યુઝ’ના ડિરેક્ટર રાજ મેહતાએ તેને મુંબઈ મેટ્રોમાં ટ્રાવેલ કરવાની સલાહ આપી હતી. મેટ્રોમાં યાત્રા કરતી વેળાનો વિડિયો અક્ષયકુમારે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે જણાવી રહ્યો છે કે ઘાટકોપરમાં શૂટિંગ કરી રહ્યો હતો અને તેને વર્સોવા પહોંચવાનું હતું. મૅપમાં ઘાટકોપરથી વર્સોવાનું અંતર બે કલાકનું દેખાડી રહ્યા હતા. એથી મારા ડિરેક્ટર રાજ મેહતાએ કહ્યું હતું કે મેટ્રો લઈને વર્સોવા જઈએ. મેટ્રોમાં તે એક ખૂણામાં ઊભો હતો. મેટ્રોની પ્રશંસા કરતાં અક્ષયકુમારે જણાવ્યું કે બે કલાકનું અંતર માત્ર ૨૦ મિનિટની અંદર કાપીને પોતાના ડેસ્ટિનેશન પર પહોંચી રહ્યો છે. એ દરમ્યાન તેની સાથે રાજ મેહતા પણ હાજર હતો.
આ પણ વાંચો: લંડનનાં મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં મુકાશે રણવીર સિંહનું વૅક્સનું સ્ટૅચ્યુ
ADVERTISEMENT
અક્ષયકુમારનું એમ પણ કહેવું છે કે શહેરમાં ગમે એટલું પાણી ભરાઈ જાય તો પણ મેટ્રો પર કોઈ માઠી અસર નહીં પડે. આ વિડિયો ટ્વિટર પર શૅર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘મેં આજે મુંબઈ મેટ્રોથી પ્રવાસ કર્યો હતો. વ્યસ્ત સમયમાં હું ઘાટકોપરથી વર્સોવા સુધી મુંબઈ મેટ્રોમાં પહોંચ્યો હતો.’