Laxmmi Bomb: અક્ષય કુમારનો પહેલો લુક જાહેર, લોકોએ વખાણના બોમ્બ ફોડ્યા
લક્ષ્મી બૉમ્બનો ફર્સ્ટ લૂક જાહેર
2020ની ઇદ પર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ રિલીઝ થઈ રહી છે. આ હૉરર કૉમેડી ફિલ્મમાં અક્ષય એક મહત્વનું પાત્ર ભજવતો જોવા મળે છે, જે તેણે પહેલા ક્યારેય કર્યો નથી. ફિલ્મમાં પોતાના લૂકને અક્ષયે નવરાત્રિના દિવસોમાં રિવીલ કર્યો છે. આ લૂક જોઇને તમે પણ ચોંકી જઈ શકો છો.
લક્ષ્મી બૉમ્બમાં અક્ષય કિન્નર જેવા લૂકમાં દેખાશે. જે ફિલ્મની સ્ટોરીનો મુખ્ય ભાગ છે. ફર્સ્ટ લૂકમાં અક્ષય મહિલાના ગેટઅપમાં છે અને બૅકગ્રાઉન્ડમાં માતા દુર્ગાની મૂર્તિ છે, જે મહિષ્મર્દિની અવતારમાં જોવા મળે છે. આ ફર્સ્ટ લૂક સાથે અક્ષયે લખ્યું - નવરાત્રિ પોતાની અંદરની દેવી સામે માથું નમાવવાનો અને પોતાની અસીમિત ક્ષમતાઓને ઉજવવાનો તહેવાર છે. આ પાવન અવસરે, હું લક્ષ્મી બૉમ્બમાંનો મારો ફર્સ્ટ લૂક શૅર કરી રહ્યો છું. એક પાત્ર, જેને લઈને હું ખૂબ જ ઉત્સાહિત અને નર્વસ છું. પણ જીવન તો ત્યારે જ શરૂ થાય છે, જ્યારે આપણે આપણાં આરામમાંથી બહાર નીકળીએ છીએ.
ADVERTISEMENT
અક્ષયના આ લૂકને જોઇને તમને તેની જ ફિલ્મ સંઘર્ષના આશુતોષ રાણાની યાદ આવી શકે છે, જેમણે એક ખતરનાક કિન્નરનું પાત્ર ફિલ્મમાં ભજવ્યું હતું. આ પાત્રને યાદ કરીને આજે પણ ધ્રુજી જવાય છે. જણાવીએ કે ફિલ્મ રાઘવ લોરેન્સ નિર્દેશિત કરી રહ્યા છે.
Navratri is about bowing to the inner goddess and celebrating your limitless strength.On this auspicious occasion,I am sharing with you my look as Laxmmi.A character I am both excited and nervous about... but then life begins at the end of our comfort zone...isn’t it? #LaxmmiBomb pic.twitter.com/TmL9U1OXdk
— Akshay Kumar (@akshaykumar) October 3, 2019
રાઘવનું આ હિન્દી સિનેમામાં ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ છે. ફિલ્મનું નિર્માણ અક્ષય કુમાર, શબીના ખાન અને તુષાર કપૂર મળીને કરી રહ્યા છે. આ રાઘવની તામિળ ફિલ્મ કાંચનાની ઑફિશિયલ રિમેક છે. ફિલ્મમાં કિયારા અડવાણી ફીમેલ લીડ રોલમાં દેખાશે. ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિ પર આધારિત છે, જેમાં એક કિન્નરની આત્મા પ્રવેશે છે.
આ પણ વાંચો : આવી જઈ રહી છે આપણા સેલેબ્સની નવરાત્રી..જુઓ તસવીરો
અક્ષયની આ ફિલ્મ ઇદ પર સલમાન ખાનની ફિલ્મ સાથ ક્લેશને લઇને પણ સતત ચર્ચામાં છવાયેલી છે. સંજય લીલા ભંસાલીની ઇન્શાઅલ્લાહ બંધ થયા પછી લક્ષ્મી બૉમ્બને 2020ના ઇદ પર રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી. જો કે, સલમાને અત્યાર સુધુ ઇદ પરનો પોતાનો દાવો મૂક્યો નથી અને એવી ચર્ચા છે કે પ્રભુદેવાના નિર્દેશનમાં તે પોતાની એક ફિલ્મ લઇને આવી રહ્યો છે.