Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિહારના પૂર પીડિતોને અક્ષયે આપી છઠની ભેટ, ડોનેટ કરી આટલી મોટી રકમ

બિહારના પૂર પીડિતોને અક્ષયે આપી છઠની ભેટ, ડોનેટ કરી આટલી મોટી રકમ

29 October, 2019 02:13 PM IST | મુંબઈ

બિહારના પૂર પીડિતોને અક્ષયે આપી છઠની ભેટ, ડોનેટ કરી આટલી મોટી રકમ

બિહારના પૂર પીડિતોને અક્ષયે કરી મદદ

બિહારના પૂર પીડિતોને અક્ષયે કરી મદદ


બિહારમાં આવેલા પૂરે ભયંકત તારાજી સર્જી હતી. જેમાંથી બેઠા થવાનો પૂર પીડિતો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમની મદદે આવ્યા છે અભિનેતા અક્ષય કુમાર. હાઉસફુલ 4ના આ અભિનેતાએ પૂર પીડિતો માટે એક કરોડ રૂપિયાની મદદ કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર અક્ષય કુમારે લગભગ 24 પરિવારનો છઠ પૂજા માટે 4-4 લાખ રૂપિયા આપ્યા છે.

પૂર પીડિતોને મદદ કરવા મામલે અક્ષય કુમારે કહ્યું, કુદરતી આપતિઓ આપણને એ જણાવે છે કે આપણે તેની આગળ કાંઈ જ નથી. પરંતુ તેની સાથે એ પણ છે કે આપણે થોડું થોડું કરીને એકબીજાની મદદ કરી શકીએ છે. મને ખુશી છે કે મને આ લોકો માટે કાંઈ કરવાનો મોકો મળ્યો. હું બહુ બધુ તો નથી કરી શકતો પરંતુ જેટલું કરી શકું છું એટલું જરૂર કરીશ. જે લોકો પોતાનું બધુ ગુમાવી ચુક્યા છે તેમણે એકવાર ફરીથી તેમનું જીવન શરૂ કરવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે ગયા મહિને બિહારના પટના સહિત અન્ય જિલ્લામાં ભયાનક પૂર આવ્યું હતું. લોકો અનેક દિવસો સુધી પોતાના ઘરની અંદર રહેવા માટે મજબૂર થયા હતા અને તેમને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર લોકોને મદદ કરવાનો પુરો પ્રયાસ કરી રહ્યું હતું. જો કે તો પણ તમામ લોકો સુધી મદદ નહોતી પહોંચી રહી.

આ પણ જુઓઃ અમિતાભ બચ્ચની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી, જુઓ તસવીરો



સરકારી આંકડાઓ અનુસાર આ પૂરમાં 127થી વધુ લોકોના મોત થયા છે. એટલું જ નહીં આ ભયાનક પૂરના કારણે 13 જિલ્લાના 82 લાખ 84 હજાર લોકો પ્રભાવિત થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2019 02:13 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK