Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકસરખી હોવાથી અક્ષય અને સાઇનાને કરવામાં આવ્યાં ટ્રોલ

એકસરખી હોવાથી અક્ષય અને સાઇનાને કરવામાં આવ્યાં ટ્રોલ

05 February, 2021 11:50 AM IST | Mumbai
Agencies

એકસરખી હોવાથી અક્ષય અને સાઇનાને કરવામાં આવ્યાં ટ્રોલ

એકસરખી હોવાથી અક્ષય અને સાઇનાને કરવામાં આવ્યાં ટ્રોલ

એકસરખી હોવાથી અક્ષય અને સાઇનાને કરવામાં આવ્યાં ટ્રોલ


અક્ષયકુમાર અને બૅડ્મિન્ટન પ્લેયર સાઇના નેહવાલની ખેડૂતોના પ્રોટેસ્ટ વિશેની ટ્વીટ એકસરખી આવતાં તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ઇન્ટરનૅશનલ સિંગર રિહાના સ્વેદિશ, એન્વાયર્નમેન્ટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને પૉર્નસ્ટાર મિયા ખલીફાએ ઇન્ડિયામાં ચાલી રહેલા ફાર્મર પ્રોટેસ્ટ વિશે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ બાદ ભારતના એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટરી દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે ઇન્ડિયાને વિભાજિત કરવા માટેના પ્રૉપગૅન્ડાને વધુ મહત્ત્વ આપવામાં ન આવે. આ માટે ભારત સરકારને સપોર્ટ કરતાં અક્ષયકુમાર અને સાઇના નેહવાલે ટ્વીટ કર્યું હતું. તેમની સાથે ઘણી સેલિબ્રિટીઝે ટ્વીટ કર્યું છે. જોકે અક્ષય અને સાઇનાની ટ્વીટ એકસરખી હોવાથી લોકોએ તેમને ટ્રોલ કર્યાં હતાં. અક્ષયકુમારે બુધવારે બપોરે બે વાગ્યે ટ્વીટ કર્યું હતું કે ‘ખેડૂતો આપણા દેશ માટે ખૂબ મહત્ત્વના છે. તેમને જે પ્રૉબ્લેમ છે એ ઇશ્યુને નિવારવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. આપણે આ સમસ્યાને શાંતિથી દૂર કરવા માટે સપોર્ટ કરીએ અને દેશમાં અશાંતિ ફેલાવતાં દૂષણોથી દૂર રહીએ. #IndiaTogether #IndiaAgainstPropaganda’ અક્ષયકુમારની આ ટ્વીટ બાદ રાતે ૧૦.૨૬ વાગ્યે સાઇના નેહવાલે પણ આ જ ટ્વીટ કરી હતી. તેની આ ટ્વીટને કારણે લોકો એને માર્કેટિંગ કહી રહ્યા છે. આથી તેમને લોકો દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તેમને માટે નકલમાં પણ અકલ હોવી જોઈએ જેવી કમેન્ટ કરવામાં આવી રહી છે તેમ જ દરેક સેલિબ્રિટીઝ વેચાઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2021 11:50 AM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK