#MeToo મૂવમેન્ટ પર અજય દેવગને આપ્યું નિવેદન, આરોપી માટે કહી આ વાત...
અજય દેવગન
ગયા વર્ષે મીટૂમાં બોલીવુડની ઘણી હસ્તિઓ પણ સંપડાઈ હતી અને કેટલાય અભિનેતાઓ પર આરોપ લગાડવામાં આવ્યા હતા. હવે બોલીવુડ અભિનેતા અજય દેવગને આ કેમ્પેનને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે અજય દેવગનને પૂછવામાં આવ્યું કે યૌન ઉત્પીડનના આરોપીઓ સાથે કામ કરવું યોગ્ય છે? તો અભિનેતાએ જવાબમાં કહ્યું કે, "કોઈ પણ આરોપી અને દોષીમાં ઘણો મોટો ફરક હોય છે."
ADVERTISEMENT
અજય દેવગને આપ્યું નિવેદન
અજય દેવગને એ પણ કહ્યું કે, "તે વ્યક્તિ સાથે કામ કરવું યોગ્ય નથી, જે આ મામલે દોષી જાહેર કરવામાં આવ્યો હોય. જો કે, જેના પર એવો નિર્ણય નથી આવ્યો, આપણે તેની સાથે આવો ભેદભાવ ન કરી શકીએ. તેમના પરિવારનું શું થશે?" અજય દેવગને જણાવ્યું કે, "હું એક આરોપીને ઓળખું છું, જેની દીકરીને એટલો આઘાત પહોંચ્યો હતો કે તેણે ખાવાનું અને સ્કૂલ જવાનું પણ છોડી દીધું હતું."
હકીકતે અજય દેવગનને આ પ્રશ્ન એટલે પૂછવામાં આવે છે કારણ કે તેણે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં આલોક નાથ સાથે કામ કર્યું હતું, અને તેને કારણે અજય દેવગન પર નિશાન તાકવામાં આવી રહ્યું હતું. જણાવીએ કે આલોક નાથ પણ યૌન ઉત્પીડન અને દુષ્કર્મના મામલામાં આરોપી છે.
આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન
જો કે જે સમયે અજય દેવગન પર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા હતા, ત્યારે અજય દેવગને પોતાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે આલોક નાથ સાથે ઑગસ્ટમાં શૂટિંગ થઈ ગઈ હતી અને તે સમયે તેના પર એવો કોઈ આરોપ ન હતો. જણાવીએ કે મીટૂ કેમ્પેન દરમિયાન આલોક નાથ સહિત સાજિદ ખાન, નાના પાટેકર, વિકાસ બહલ જેવા કેટલાય લોકો પર આરોપ મૂકવામાં આવ્યા હતા.