છલાંગની સ્ક્રિપ્ટ ખૂબ જ પ્રેરણાત્મક છે : અજય દેવગન
અજય દેવગન
અજય દેવગનનું કહેવું છે કે ‘છલાંગ’ની સ્ક્રિપ્ટ ખૂબ જ પ્રેરણાત્મક છે. તેના દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને નુશરત ભરૂચા છે જેને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર 13 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. હસંલ મેહતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મને લવ રંજન, ભૂષણ કુમાર અને અંકુર ગર્ગ દ્વારા પણ પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં બે શિક્ષકની વાત છે, પરંતુ સાથે જ બાળકો માટે પણ એક સોશ્યલ મેસેજ આપવામાં આવ્યો છે. આ વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું હતું કે ‘મારું માનવું છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ પ્રેરણાત્મક છે. કોચ અને ખેલાડીઓ પર પહેલાં ઘણી ફિલ્મો બની ગઈ છે, પરંતુ બાળકો પર આધારિત ફિલ્મો વધુ નથી બનતી. આ ફિલ્મ બાળકોની સાથે માતા-પિતાને પણ પ્રેરિત કરશે એની મને ખાતરી છે. પેરન્ટ્સે તેમનાં બાળકોને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં માતા-પિતા અને બાળકોએ સાથે મળીને કામ કરવું પડે છે. જો આમ કરવામાં આવે તો લાઇફમાં સક્સેસ અને ખુશી મળે છે.’