અજય દેવગન અને સંજય દત્તની દોસ્તીને લાગશે કંગનાનું ગ્રહણ?
ADVERTISEMENT
એક તબક્કે કંગના રનૌતની ગણતરી સંજય દત્તના પરિવારની ખાસ મિત્ર તરીકે થતી હતી અને તે સંજયની પત્ની માન્યતાની બહુ નજીક હતી. જોકે એકાએક દત્તપરિવાર અને કંગનાના સંબંધોમાં બહુ મોટી સમસ્યા ઊભી થઈ હતી અને એને પરિણામે તેમની વચ્ચે વાતચીત કરવાનો વ્યવહાર પણ નહોતો રહ્યો. માનવામાં આવે છે કે સંજયના ખાસ મિત્ર અજય દેવગન અને કંગના વચ્ચે ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન મુંબઈ’ વખતે રચાયેલા પ્રેમપ્રકરણની અફવાને કારણે અજયના ખાસ મિત્ર સંજયે મિત્રતાને જાળવવા કંગના સાથેના સંબંધો તોડી નાખ્યા હતા.
જોકે તાજેતરમાં સંજય અને માન્યતાએ કંગનાને એસએમએસ કરીને તેમના ઘરે નવરાત્રિની શરૂઆતમાં યોજાયેલી ‘માતા કી ચૌકી’માં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું હતું, એને સ્વીકારીને કંગનાએ એમાં હાજરી આપી હતી. હવે જ્યારે દત્તપરિવારના કંગના સાથેના સંબંધો ફરી સામાન્ય બની રહ્યા છે ત્યારે હવે બૉલીવુડમાં ચર્ચા છે કે કંગના સાથેની મિત્રતાને કારણે સંજય અને તેના ખાસ મિત્ર અજયની મિત્રતા પર ગ્રહણ ન લાગી જાય. ઉલ્લેખનીય છે કે સંજય અને અજય હાલમાં અજયે પ્રોડ્યુસ કરેલી ‘સન ઑફ સરદાર’માં સાથે કામ કરી રહ્યા છે.