ઐશ્વર્યા અને આરાધ્યા થયાં કોરોના નેગેટિવ, હૉસ્પિટલમાંથી પહોંચ્યા ઘરે
ઐશ્વર્યા રાય બચ્ચન પુત્રી આરાધ્યા બચ્ચન સાથે
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની આઠ વર્ષની દીકરી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયું છે. ઐશ્વર્યા અને આરાધ્યા બન્ને મુંબઇના નાણાવટી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવીને પોતાના ઘરે જલસા પહોંચી ગઈ છે. ઘણાં દિવસ પછી બચ્ચન પરિવારમાંથી આ સારા સમાચાર આવ્યા છે. જો કે, હજી પણ એ સ્પષ્ટતા નથી કે અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચનને હૉસ્પિટલમાંથી રજા ક્યારે મળશે. જો કે બન્નેની સ્થિતિમાં પહેલા કરતાં ઘણો સુધાર જોવા મળે છે.
અભિષેક બચ્ચને ટ્વિટર પર આ માટે બધાંની પ્રાર્થનાઓ બદલ આભાર માન્યો છે. અભિષેક બચ્ચને ટ્વીટ કરીને લખ્યું છે કે, "સતત મળતી બધાંની પ્રાર્થનાઓ અને દુઆઓ માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ માટે તમારો હંમેશાં આભારી રહીશ. ઐશ્વર્યા અને આરાધ્યાના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તે હૉસ્પિટમાંથી ડિસ્ચાર્જ થઈ ચૂકી છે. હવે તે ઘરે જ રહેશે. હું અને મારા પિતા હજી પણ મેડિકલ સ્ટાફની દેખરેખમાં હૉસ્પિટલમાં જ છીએ."
ADVERTISEMENT
Thank you all for your continued prayers and good wishes. Indebted forever. ??
— Abhishek Bachchan (@juniorbachchan) July 27, 2020
Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff.
જણાવવાનું કે 17 જુલાઇના ઐશ્વર્યા અને આરાધ્યાને કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઐશ્વર્યા અને આરાધ્યા બન્ને પહેલાથી કોરોના પૉઝિટીવ હતાં, પણ બન્ને જુહુમાં આવેલા જલસા બંગલામાં હૉમ ક્વૉરન્ટાઇનમાં હતી પરંતુ ઐશ્વર્યાને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ અને કફ તેમજ ઉધરસની સાથે સાછે ગળામાં થતાં દુઃખાવાને કારણે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.
11 જુલાઇના અમિતાભ બચ્ચને આપેલી માહિતી આપી હતી કે તેમને કોરોના થયું છે અને તેના થોડાંક જ સમય પચી અભિષેક બચ્ચને પણ પોતાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ હોવાના સમાચાર આપ્યા હતા.
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની આઠ વર્ષની દીકરી આરાધ્યા બચ્ચનના પણ કોરોના ટેસ્ટ થયાં. બન્નેને કોરોનાના કોઇપણ લક્ષણ નહોતા. દરમિયાન જ જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
ત્યાર બાદ 12 તારીખે ઐશ્વર્યા અને આરાધ્યાના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા. તેના પછી ઐશ્વર્યા અને આરાધ્યા હૉમ ક્વૉરન્ટાઇનમાં હતાં.