અનેક મુસીબતોમાંથી પાર પડ્યા બાદ ફરીથી પડકાર આવી જાય છે : કંગના રનોટ
કંગના રનોટ
કંગના રનોટનું કહેવું છે કે તે જીવનમાં અનેક મુશ્કેલીઓમાંથી પાર થાય છે અને ફરીથી તેની સામે મુસીબતો આવીને ઊભી રહી જાય છે. કંગનાને લઈને દેશમાં ચર્ચાને વેગ મળ્યો છે. તાજેતરમાં જ બાંદરામાં આવેલી તેની ઑફિસને બીએમસીએ ધ્વસ્ત કરી છે. એને કારણે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. પોતાનો ફોટો ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘આ અવસ્થાની વચ્ચે કેટલાક એવા મુકામ આવે છે જે મને ઘેરી વળે છે. હું ક્યાં છું? એ નથી જાણી શકતી. મારા જીવનમાં મને જે પણ સમસ્યાઓ આવી એમાંથી મુશ્કેલીથી પાર પડી હતી. જોકે આટલો સંઘર્ષ કરવા છતાં પણ મારી સામે ફરીથી પડકારો આવીને ઊભા રહી જાય છે.’